Latest

માઝમ જળાશય યોજનામાં રેડિયલ ગેટના મરામત અને સ્ટ્રેન્થનીંગની કામગીરી

અરવલ્લી તેમજ ખેડા જીલ્લાના માઝમ નદીના કિનારે આવેલ નીચાણના વિસ્તારોને સાવધાન રહેવા તથા નદીના પટમાં અવર જવર ન કરવી.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

માઝમ જળાશય યોજનામાં રેડિયલ ગેટના મરામત અને સ્ટ્રેન્થનીંગની કામગીરી કરવા સારુ સરકારશ્રીમાંથી માઝમ ડેમમાંથી નદીમાં પાણી છોડવાની મંજુરી આપવામાં આવેલ છે. જે પરત્વે આવતી કાલે તા.૧૮-૦૪-૨૦૨૩ના સવારથી માઝમ ડેમમાંથી ૨૦૦ ક્યુસેક્સ પાણી છોડવામાં આવશે. જે ક્રમશ: વધારીને ૮૦૦ થી ૧૦૦૦ ક્યુસેક્સ સુધી પાણી છોડવામાં આવશે.

અંદાજે ૧૦ થી ૧૨ દિવસ સુધી ડેમમાંથી પાણી છોડી જલ સ્તર ક્રેસ્ટ લેવલ સુધી લાવવાનું આયોજન છે. જેથી અરવલ્લી તેમજ ખેડા જીલ્લાના માઝમ નદીના કિનારે આવેલ નીચાણના વિસ્તારોને સાવધાન રહેવા તથા નદીના પટમાં અવર જવર ન કરવાની બાબતે જાણ કરવામાં આવે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *