Latest

બ્રહ્મલીન પરમ પૂજ્ય મોહનરામ બાવજી ના મેઢાસણ પાસે આવેલા તારાપુર આશ્રમમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ગુરુબિન જ્ઞાન નહીં આદિ અનાદિ કાળ થી ચાલી આવતી ગુરુ અને શિષ્ય ના ગુરુપૂર્ણિમા ના દિવસે ગુરુપૂજન કરી આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ મેળવવા માટે હિન્દૂ સમાજમાં ગુરુપૂર્ણિમા નું અનેરું મહત્વ હોય છે

ત્યારે મોડાસા તાલુકાના મેઢાસણ નજીક તારાપુર આશ્રમમાં બ્રહ્મલીન મોહનરામ બાવજી ના આશ્રમ ખાતે લક્ષમણ રામ બાવજી ના સાનિધ્યમાં આષાઢી માસ ની સૌથી મોટી ગુરુપૂર્ણિમા સોમવારે 3 જુલાઈ ના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ દરવર્ષ ની જેમ ઉજવવામાં આવશે આ આશ્રમમાં ઉત્તર ગુજરાત મધ્યગુજરાત સુરત મુંબઈ અને અમદાવાદ સૌરાષ્ટ્ર જેવા વિસ્તારમાં શિષ્યો ગુરુપૂજન કરી ગુરુ ના સાથે સત્સંગ નો લ્હાવો લેતા હોય છે ત્યારે આશ્રમમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ને લઇ ને તડામાર તૈયારીઓ શરૂ કરી છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 583

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *