Latest

થાઇલેન્ડમાં થયેલ ગોળીબારની ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુ દ્વારા ચાર લાખથી વધુ રકમની સહાય

 

ગઈકાલે થાઈલેન્ડના એક ચાઈલ્ડ ડે કેર સેન્ટરમાં નિવૃત્ત પોલીસ અધિકારી દ્વારા અંધાધુંધ ગોળીબાર કરવામાં આવેલ. થાઈલેન્ડના નોન્ગ બુઆ પ્રાંતમાં ઘટેલી ગોળીબારની આ હૃદયદ્રાવક ઘટનામાં ૩૭ લોકોએ તેમના પ્રાણ ગુમાવ્યા છે. આ કરુણ ઘટનામાં ૨૨ જેટલાં નિર્દોષ બાળકો પણ મોતને ભેટ્યાં છે !

પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર નિવૃત્ત થાઈ પોલીસ અધિકારીએ ચાઈલ્ડ ડે કેર નર્સરીમા આ ગોળીબાર કર્યો હતો અને તેના પરિણામે તેની પત્ની અને પુત્ર સહીત ૩૭ લોકોએ પ્રાણ ગુમાવ્યા છે. આ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પતા પૂજ્ય મોરારિબાપુએ પ્રત્યેક મૃતકના પરિજનોને રૂપિયા ૧૧-૧૧ હજારની સહાય પ્રેષિત કરી છે, જેની કુલ રકમ ચાર લાખ સાત હજાર થાય છે.

સને ૨૦૧૧ની સાલમાં થાઈલેન્ડમાં પૂજ્ય મોરારિબાપુ દ્વારા રામકથાનું અનુષ્ઠાન સંપન્ન કરવામાં આવ્યું હતું. એ સમયના તે રામકથાના યજમાન શિતુલભાઈ પંચમિયા અને નૈરોબી સ્થિત નિલેશભાઈ જસાણી દ્વારા સ્થાનિક પ્રસાશન અને આગેવાનોને સાથે રાખી તમામ મૃતકોના પરિજનોને સહાયતા રાશિ પહોંચતી કરવામાં આવશે.

અત્યંત કરુણ એવી આ ઘટનામાં જે બાળકો તથા અન્ય લોકો મૃત્યુ પામ્યા છે તેમના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ પ્રાર્થના કરી છે, શ્રદ્ધાંજલિ અર્પી છે તેમજ તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *