Latest

નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને શહેર પોલીસ ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક જાગૃત્તિ તથા રોડ સેફ્ટી કાર્યક્રમ યોજાયો

સુરત.સંજીવ રાજપૂત: કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળના નેહરુ યુવા કેન્દ્ર-સુરત, માય ભારત અને રત શહેર ટ્રાફિક શાખાના સંયુક્ત ઉપક્રમે સુરતમાં ઓ.એચ. નાઝર, આયુર્વેદ કોલેજ ખાતે ટ્રાફિક જાગૃત્તિ તથા રોડ સેફ્ટી કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં ૧૦૦થી વધુ યુવાનો જોડાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર. જે.કે. રાઠોડ તેમજ રોડ સેફ્ટી ટ્રેનર તથા કોર્ડીનેટર બ્રિજેશભાઈ વર્મા દ્વારા ટ્રાફિક અવેરનેસ તથા રોડ સેફ્ટીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ રોડ પર લઈ જઈને ફિલ્ડ તાલીમ આપવામાં આવી હતી.

આ વેળાએ ઓ.એચ. નાઝર આયુર્વેદ કોલેજના આચાર્ય ડો. કિર્તીબેન પટેલ, ટ્રાફિક પી.આઈ. જે.કે. રાઠોડ, રોડ સેફ્ટી ટ્રેનર તથા ડિસ્ટ્રીક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી-સુરતના અધ્યક્ષ બ્રિજેશ વર્મા, ટ્રાફિકના ડી.સી.પી. અમિતા વાનાણી હાજર રહ્યા હતા. યુવાનોને માય ભારત ટી- શર્ટ તેમજ ટોપીનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન માય ભારત-સુરત અને નેહરુ યુવા કેન્દ્ર-સુરતના જીલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ કેન્દ્રના રાષ્ટ્રીય યુવા સ્વયંસેવકો ગૌરવ પડાયા, ઉજ્જવલ પરમાર અને જૈવિક રૈયાણીએ કર્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *