Latest

4 દેશોના 108 વિદેશી અને NRI લોકો 36 રીક્ષા વડે ચિત્રકૂટ થી અંબાજી પહોંચ્યા, દાન એકઠું કરીને ચિત્રકૂટમાં 25 વર્ષ જુના હોસ્પિટલનુ નવીન બિલ્ડિંગ માટે 5 કરોડ દાન આપશે,વિદેશીઓમા કેટલાક ગુજરાતી પણ !

ભારતીય લોકો ભારતીય માટે સમાજસેવા કરે તે બાબતો ઘણા લોકોએ જોઈ હશે પણ વિદેશી લોકો ભારતીયો માટે સેવા કરે અને સુંદર હોસ્પિટલ નુ બિલ્ડિંગ બનાવીને ગરીબોને સારવાર મળે તે માટે 4 દેશોના 108 જેટલા લોકો ચિત્રકૂટ થી 12 ડિસેમ્બરના રોજ નીકળ્યા હતા

આ લોકો દ્વારા ફાળો ઉઘરાવવામાં આવી રહ્યો છે અને આ લોકો 23 તારીખના રોજ કચ્છના ઘોરડો ખાતે યાત્રાનું સમાપન કરશે.4 અલગ અલગ દેશોના 108 જેટલા વિદેશી અને એનઆરઆઈ લોકો ગરીબોના કલ્યાણ માટે અને ભારત દેશના કલ્યાણ માટે રીક્ષા વડે ફાળો એકઠા કરવા નીકળ્યા છે આ તમામ લોકો યુકે ની સેવા ઇન્ટરનેશનલ સંસ્થાથી જોડાયેલા છે.આ સંસ્થા ના ઉદયપુર થી નીકળેલા 108 જેટલા લોકો આજે અંબાજી આવી પહોંચ્યા હતા.

અંબાજી સર્કિટ હાઉસમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આદિવાસી સમાજ દ્વારા પણ આદિવાસી સંસ્કૃતિના લોક નૃત્ય રજૂ કરીને તેમને ભારતીય સંસ્કૃતિની યાદ અપાવવામાં આવી હતી,ત્યારબાદ આ તમામ લોકો અંબિકા ભોજનાલયમાં ભોજન માટે ગયા હતા

ત્યારબાદ અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કરવા આવ્યા હતા. માતાજીના દર્શન કરીને તેમને ધન્યતા અનુભવી હતી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.

અંબાજી મંદિરના શિખર ઉપર તેમને ધજા અર્પણ કરી હતી. મંદિરમાં ભક્તોએ બોલ મારી અંબે જય જય અંબે નો નાદ પણ કર્યો હતો.અંબાજી મંદિરમાં તેમને માતાજીના દર્શન કર્યા હતા.

ચિત્રકૂટની 25 વર્ષ જૂની હોસ્પિટલ નું બિલ્ડીંગ જૂનું થઈ જતા ગરીબો માટે હોસ્પિટલની સેવા હજુ પણ ચાલુ રહે તે માટે સેવા.યુકે.ડોટ કોમના 108 જેટલા લોકો રીક્ષા લઈને ફાળો એકઠા કરવા નીકળ્યા હતા જેમાં તેમને ઘણી જગ્યાએ સારો એવો ફાળો મળ્યો હતો.

:- ભરત વડુકલ, સેવા.ડોટ.ઓઆરજી, ફાઉંડર :-

તેમને જણાવ્યું હતું કે ચિત્રકૂટમાં હોસ્પિટલના નવીન બિલ્ડીંગ બનાવવા માટે અમે વિદેશથી ખાસ આવ્યા છીએ અને અમને બધી જગ્યાએ સારો સાથ સહકાર મળ્યો છે. અંબાજી ખાતે આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ, આદિવાસી સમાજ સહીત અન્ય લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.

:- અંબાજી ખાતે વિદેશી મહિલાઓ અને આદિવાસી સમાજની મહિલાઓ સાથે નૃત્ય કરતી જોવા મળી :-

અંબાજી વિસ્તાર આસપાસ આદિવાસી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે આજે ચાર દિવસથી આવેલા વિદેશી લોકો અને NRI લોકો સાથે આ વિસ્તારનાં આદીવાસી સમાજના લોકો ઢોલ સાથે નૃત્ય કરતા જોવા મળ્યા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *