Latest

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે છેલ્લા આઠ વર્ષથી શ્રમિકો માટે સેવારત ધનવંતરી આરોગ્ય રથ

ગોધરા, એબીએનએસ, વી.આર (પંચમહાલ)::ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને EMRI GREEN HEALTH SERVICE ના સંયુક્ત ઉપક્રમે ધન્વંતરી આરોગ્ય રથ ચલાવવામાં આવે છે.

જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે છેલ્લા આઠ વર્ષથી આરોગ્ય રથ કાર્યરત છે અને શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યું છે. આ આરોગ્ય રથ દ્વારા કંસ્ટ્રકશન સાઇટ- કડિયાનાકા શ્રમિક વસાહત જેવાં વિસ્તારમાં પહોંચી વિનામૂલ્યે શ્રમિકોની નોંધણી કરીને તેમને આરોગ્ય વિષયક સેવાઓ આપવામાં આવી રહી છે

EMRI GREEN HEALTH SERVICEના પ્રોજેક્ટ કોર્ડીનેટર સહદેવસિંહ પરમાર અને બાંધકામ શાખાના પ્રોજેક્ટ મેનેજર સોનલબેન બારીઆના માર્ગદર્શન અને સલાહ હેઠળ ધનવંતરી આરોગ્ય રથમાં મેડિકલ ઓફિસર ડૉ.નસીમ મનસુરી, લેબર કાઉન્સિલર શૈલેષકુમાર બારીઆ, પેરામેડિક અશ્વિનભાઈ ડામોર, લેબ ટેકનિશિયન આરતીબેન ડામોર, પાયલોટ વિક્રમસિંહ ડાભી સહિતના સ્ટાફગણ ધનવંતરી આરોગ્ય રથ, ગોધરા ખાતે ફરજ નિભાવી શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે.થોડા સમય પૂર્વે ધનવંતરી આરોગ્ય રથની ટીમે ચંચોપા મેડિકલ કોલેજ કંસ્ટ્રકશન સાઈટ પર કામ કરતી વખતે નવીન બનેલ બિલ્ડીંગ પરથી નીચે પડી જતા કાર્ય સ્થળ પર જ શ્રમિક રાકેશકુમાર પટેલનું મૃત્યુ થતાં તરવડી ગામમાં રહેતાં મૃતકના પરિવારનો સંપર્ક કરીને તેમને અકસ્માત મૃત્યુ સહાય યોજના અંગે જાણકરી આપી તેનું ફોર્મ ભરીને પરિવારને સહાયરૂપ બન્યા હતા.

જે માટે મૃતકના પરિવારજનોએ ધનવંતરી આરોગ્ય રથની ટીમ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.ઉલ્લેખનીય છે કે ધનવંતરી આરોગ્ય રથમાં પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ પહોંચાડવાની સાથે બાંધકામ સાઈટ પર કામ કરતા શ્રમિકોને ઈ-નિર્માણ કાર્ડ, ઈ-શ્રમકાર્ડ કાઢી આપવામાં આવે છે તેમજ તે સાથે શ્રમિકોને ગુજરાત શ્રમિક કલ્યાણ બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલ લાભોની માહિતી આપવામાં આવે છે અને સબંધિત યોજના માટે શ્રમિકને ઓનલાઇન ફોર્મ ભરી આપવામાં આવે છે. જેમાં શિક્ષણ સહાય, પ્રસુતિ સહાય, PMJJBY, આકસ્મિત મૃત્યુ સહાયના સહિતની યોજનામાં ઓનલાઇન ફોર્મ ભરીને શ્રમીકને વિનામૂલ્યે લાભ મળી રહે તે માટે સહાય આપવામાં આવે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ધારાસભ્ય નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા ખાતે “નારીશકિતને વંદન“ કાર્યક્રમ યોજાયો

એબીએનએસ, વી.આર. ગોધરા(પંચમહાલ):ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા…

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના 14 મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના…

ગુજરાતનુ ગૌરવ અપરાજિતા સંસ્થાને માઈ રમાબાઈ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ ૨૦૨૫ દિલ્હી ખાતે એનાયત કરાયો.

નવી દિલ્હી, સંજીવ રાજપૂત; પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ…

દ્વારકા પદયાત્રીઓના સેવાર્થે જામનગરમાં યોજાયેલા કેમ્પોની મુલાકાત લેતા કેબિનેટમંત્રી મુળુભાઈ બેરા

જામનગર સંજીવ રાજપૂત, દેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે હજારોની…

દેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં પગપાળા જઈ રહેલા યાત્રીઓ માટે જામનગર આરોગ્ય વિભાગની ઉમદા કામગીરી

જામનગર સંજીવ રાજપૂત: દેવભૂમિ દ્વારકા ખાતે હોળી-ધુળેટીના પર્વ નિમિતે ફૂલડોલ…

1 of 585

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *