bhavnagarBreaking NewsGujaratLatest

ભાવનગર જિલ્લાની વિકાસગાથા રજૂ કરતી પુસ્તિકા વિકાસ વાટિકા નું પ્રભારીમંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાનાં હસ્તે  વિમોચન

ભાવનગર જિલ્લામાં સરકારશ્રીની યોજનાકીય સિદ્ધિઓ અને વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલાં વિકાસકાર્યોને ઉજાગર કરતી વિકાસ વાટિકા ૨૦૨૩-૨૪ નું લોકાર્પણ આજે ગાંધીનગર ખાતે રાજ્યનાં મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનાં મંત્રીશ્રી તેમજ ભાવનગર જિલ્લાનાં પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.

ભાવનગરનાં કલેક્ટરશ્રી આર.કે.મહેતા એ પ્રભારી મંત્રીશ્રીને પુસ્તિકામાં સમાવિષ્ટ વિગતો અને આલેખન અંગે માહિતી આપી હતી.

મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા એ માહિતીસભર અને આકર્ષક વિકાસ વાટિકા તૈયાર કરવા બદલ જિલ્લા વહિવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતાં.

આ તકે મંત્રીશ્રીનાં અંગત સચિવ શ્રી દીક્ષિત જોશી,અધિક અંગત સચિવ શ્રી એ.પી.મકવાણા,નાયબ માહિતી નિયામક શ્રી ચિંતન રાવલ,માહિતી મદદનીશ શ્રી કૌશિક શીશાંગીયા ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે વિકાસ વાટિકા ૨૦૨૩-૨૪ જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.એચ.સોલંકીનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા આયોજન કચેરીના સંયુક્ત પ્રયાસોથી તૈયાર કરવામાં આવી છે.

નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.ગોવાણી,જિલ્લા આયોજન અધિકારીશ્રી કે.વી.પટેલ તથા નાયબ માહિતી નિયામકશ્રી ચિંતન રાવલ એ વિકાસ વાટિકા પુસ્તિકાના સંપાદન કાર્યમાં માર્ગદર્શન પૂરું પાડ્યુ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

સદગુરુ બજરંગદાસબાપાનો ગુરૂઆશ્રમ ભાવ - શ્રદ્ધા સાથે ભક્તોના માનવ મહેરામણથી છલકાયો…

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર્જાનો અનોખો સમન્વય

​આજના આધુનિક યુગમાં જ્યાં ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ મોટી સમસ્યાઓ બની રહ્યા છે,…

1 of 228

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *