Latest

કાંકણપુર કોલેજ ખાતે “મનોવિજ્ઞાન અને દૈનિક જીવન” વિષય પર મનોવિજ્ઞાન નિષ્ણાંત ડૉ. નરસિંહ પટેલનું વ્યાખ્યાન યોજાયું

એબીએનએસ, વી.આર. ગોધરા (પંચમહાલ):શ્રી સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી જે એલ કે કોટેચા આર્ટસ અને શ્રીમતી એસ.એચ. ગાર્ડી કોમર્સ કોલેજના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા કોલેજના પૂર્વ અધ્યાપક ડૉ. નરસિંહ એચ. પટેલ, જાણીતા મનોવિજ્ઞાનવિદ અને પ્રતિષ્ઠિત પ્રોફેસર, દ્વારા “મનોવિજ્ઞાન અને દૈનિક જીવન” પર એક ઉપયોગી અને પ્રેરણાદાયી વ્યાખ્યાન યોજાયું.

ડૉ. નરસિંહ એચ. પટેલે તેમના વ્યાખ્યાનમાં મનુષ્યના માનસિક સ્વાસ્થ્ય, તેની અભ્યાસ અને જીવનની દૈનિક પરિસ્થિતિઓ વચ્ચેના સંબંધોને સમજૂતિ આપતાં, મનોવિજ્ઞાનના મહત્વપૂર્ણ પાસાઓ પર ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં, ડૉ. નરસિંહ એચ. પટેલે કઈ રીતે મનોવિજ્ઞાનના વિચારોને દૈનિક જીવનમાં લાગુ કરી શકા

ય તે પર વિવિધ ઉદાહરણો આપ્યા હતા.આ વ્યાખ્યાનમાં પધારેલ અતિથિનું સ્વાગત કોલેજના આચાર્ય ડૉ.જગદીશ પી. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ હાજર રહી અને વ્યાખ્યાનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ મોહસીન ગરાના દ્વારા કરવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા SSC અને HSCની પરીક્ષા આપતા તમામ વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી

ગોધરા, વી.આર. એબીએનએસ, ગોધરા(પંચમહાલ):: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લાવ…

1 of 584

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *