Latest

લીંબડી શહેર ખાતે ચાલી રહેલ રામકથામા ગુજરાતના રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય હાજર રહ્યા હતા

લીંબડી નિમ્બાર્ક પીઠ મોટામંદિર દ્રારા લીંબડી સુરેન્દ્રનગર હાઈવે પર આવેલ શ્રધ્ધા હાઈસ્કૂલની બાજુમાં આવેલ ખેતરમાં મોરારીબાપુની રામકથા બેસી છે ત્યારે પ્રમાણિક, શિષ્ત, નિયમિતતા માટે પ્રજામાં જાણીતા એવા આપણાં રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્યજીની ખાસ ઉપસ્થિત રહી હતી

ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે માટે હાઈવે પર તેમજ રામકથા સ્થળ પર પોલીસનો કાફલો જોવા મળ્યો હતો તેમજ પોલીસ વર્જાવાન, ફાઈર ફાઈટર, 108 એમ્બ્યુલન્સ સહિતના વાહનોનો પણ કાફલો જોવા મળ્યો હતો ત્યારે આજે રામકથામાં મહામંડલેશ્વર સાધુ સંતો મહંતો અને હાજર રહ્યા હતા

તેમજ ખાસ કરીને લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, વઢવાણ ધારાસભ્ય અને નાયબ દંડક જગદીશભાઈ મકવાણા મોટામંદિર મંહત લાલદાસ બાપુ, તેમજ અધિકારીઓમા સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ, ડેપ્યુટી કલેકટર, મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા ત્યારે આ રામકથામા રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય દ્રારા ખેડુતોને ખેતી વિષયક માહિતી સાથે ગૌમાતાની વિષયક સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી

પ્રાકૃતિક ખેતીથી કૃષિ પેદાશમાં ઘટાડો નહિ પણ ઉતરોતર વધારો અને ખર્ચાળ માં ઘટાડો થાય છે. રાસાયણિક ખેતી ને લીધે દેશભરમાં ઓર્ગેનિક કાર્બન નું પ્રમાણ ૦.૫ થી નીચે આવી ગયુ હોઇ જમીનને પુનઃ વધુ કાર્યક્ષમ બનાવવા પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ હોવાનુ રાજ્યપાલ એ જણાવ્યું હતું.આ રામકથામા હજારોની સંખ્યામાં લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં હરીભક્તો હાજર રહ્યા હતાં ત્યારે ગુજરાત રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્યનુ વક્તવ્ય પૂરું થયા બાદ રાષ્ટ્રીય ગીત ગવાયું હતું ત્યારે બાદ રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય જવા રવાનાં થયા હતા.

રિપોર્ટર:- વલ્લભભાઈ રાઠોડ લીંબડી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ધારાસભ્ય નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા ખાતે “નારીશકિતને વંદન“ કાર્યક્રમ યોજાયો

એબીએનએસ, વી.આર. ગોધરા(પંચમહાલ):ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા…

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના 14 મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના…

ગુજરાતનુ ગૌરવ અપરાજિતા સંસ્થાને માઈ રમાબાઈ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ ૨૦૨૫ દિલ્હી ખાતે એનાયત કરાયો.

નવી દિલ્હી, સંજીવ રાજપૂત; પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ…

1 of 586

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *