Latest

દિવાળીના તહેવારો દરમિયાન ૩૭,૦૦૦ થી વધુ પ્રવાસીઓએ વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવની મુલાકાત લીધી

એબીએનએસ પાટણ: પાટણની વર્લ્ડ હેરીટેજ રાણકીવાવ વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. વર્ષ દરમિયાન તેમજ વાર તહેવારે અને વેકેશનમાં અહી હજારો લાખોની સંખ્યામાં પ્રવાસીઓ પોતાના પરિવાર સાથે મુલાકાત લેતા હોય છે

ચાલુ વર્ષે દિવાળીના તહેવારમાં તા. ૧ થી ૦૮ નવેમ્બર દરમિયાન ૩૫, ૪૮૨ ભારતીય પ્રવાસીઓ અને ૧૨૬ વિદેશી સહેલાણીઓ અને પ્રવાસીઓ રાણીની વાવ જોવા ઉમટ્યા હતા. જ્યારે ૨૮ ઓક્ટોબર થી ૦૮ નવેમ્બર સુધીમાં ૩૭,૫૯૭ ભારતીય પ્રવાસીઓ અને ૨૦૮ વિદેશી પ્રવાસીઓ રાણીની વાવ જોવા આવ્યા છે.

દિવાળીના તહેવારોમાં વર્લ્ડ હેરિટેજ પાટણની રાણકીવાવને નિહાળવા માટે પર્યટકો ઉમટી પડતા રાણકીવાવ સંકુલ પર્યટકોથી ઉભરાઇ ગયું હતું. ભારતીય અને વિદેશ પ્રવાસીઓએ રાણકીવાવ અને સહસ્ત્રલીંગ તળાવની મુલાકાત લઈ ફોટોગ્રાફી અને સેલ્ફીનો રોમાંચ માણ્યો હતો. રાણી ની વાવની અદભુત કળા કોતરણીથી પ્રવાસીઓ દિગ્મૂઢ બની ગયા હતા. તેમજ વાવના પ્રાકૃતિક સૌદર્ય , હરિયાળી અને પિકનિક પોઇન્ટની સહ પરિવાર તેમજ મિત્રો સાથે મૌજ માણી હતી.

વિક્રમ સંવત ૧૦૭૮થી ૧૧૨૦ની વચ્ચે સોલંકી રાજવી ભીમદેવ-પહેલાના વખતમાં રાણી ઉદયમતી દ્વારા નિર્માણ કરાઇ હતી. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ અને ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટ રૂ.૧૦૦ પર રાણીની વાવને અંકિત કરાતાં વિશ્વભરમાં રાણી ની વાવ ની લોકચાહના વધી છે જેના લીધે વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં ભારત દેશના ખૂણે ખૂણે થી અને અન્ય દેશમાંથી પ્રવાસીઓ આ અદભુત વાવ નિહાળવા ઉમટી પડે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર…

અપરાજિતા ટ્રસ્ટના ઉપક્રમે જરૂરિયાતમંદ દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનું વિતરણ કરાયું

મહેસાણા, સંજીવ રાજપૂત: સરકારની વિવિધ વિભાગની યોજનાઓ થકી દરેક સમાજની મહિલાઓનો…

લાયન્સ ક્લબ ઓફ હેપ્પીનેસ-સપ્તપદી મેરેજ બ્યુરોના ઉપક્રમે શામળાજી ખાતે પિકનિક વિથ પસંદગી સંમેલન યોજાઈ ગયું

કપિલ પટેલ દ્વારા અમદાવાદ -લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ હેપ્પીનેસ અને સપ્તપદી મેરેજ…

લલિતકલા અકાદમી દ્વારા આયોજિત ચિત્ર પ્રદર્શનમાં નગરના સ્થાપત્યોને કેનવાસ પર કંડારતા ચિત્રકારો

જામનગર, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ…

1 of 588

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *