Latest

જૂનાગઢ જિલ્લામાં માર્ગ મકાન વિભાગ હેઠળના ૧૦ કિલોમીટરના રસ્તાઓના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી

જૂનાગઢ, સંજીવ રાજપૂત: જૂનાગઢ ધોરાજી રોડ, ધંધુસર રવની રોડ, વંથલી માણાવદર રોડ, જૂનાગઢ સાસણ રોડ પર સમારકામ કરાયુ
જૂનાગઢ,તા. ૮ જૂનાગઢ જિલ્લામાં છેલ્લા અઠવાડિયા થી વરસાદ વરસી રહ્યો છે.

જેના કારણે અનેક માર્ગો નુકસાનગ્રસ્ત બન્યા છે. જૂનાગઢ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૧૦ કિલોમીટર ના રસ્તાઓના રીપેરીંગની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.

તારીખ ૧ જુલાઈ થી ૭ જુલાઈ દરમિયાન વરસાદના કારણે જે રસ્તા ખરાબ થયા હતા તે રસ્તાઓનું રીપેરીંગનું કામ સત્વરે હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના ક્ષતીગ્રસ્ત થયેલ જૂનાગઢ ધોરાજી રોડ,જૂનાગઢ ધંધુસર રવની રોડ, ખામધ્રોળ, મજેવડી, માખીયાળા રોડ ,વંથલી માણાવદર રોડ, જૂનાગઢ સાસણ રોડ,માળીયા મેંદરડા રોડના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના કુલ રસ્તાની લંબાઈ ૧૦૦૦.૯૮ કિ.મીનું રસ્તાનું નેટવર્ક ધરાવે છે. જે પૈકીના નુકસાનગ્રસ્ત થયેલ ૧૦ કિલોમીટરના રસ્તાઓ મોટરેબલ કરવામાં આવેલ છે એમ માર્ગ અને મકાન વિભાગ (રાજય) ના કાર્યપાલક ઈજનેર શ્રી નાધેરા એ જણાવ્યુ હતુ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 610

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *