Latest

સણોસરા પંથકમાં દાતાઓ દ્વારા રઝળતા અબોલ પશુઓની સારવાર માટે એમબ્યુન્લસનું લોકાર્પણ કરાયુ

 

સિહોરના સણોસરા પથકમાં રઝળતા અબોલ જીવોની સારવાર માટે ગામે ગામના જીવદયા પ્રેમીઓના ગ્રુપ મેમ્બરો દ્વારા તથા સુરતની સેવાકીય સંસ્થાઓના સહયોગ દ્વારા જરીયા ગામ સ્થીત શીતલ ગૌસેવા ગ્રુપ ને એનિમલ એબ્યુંલન્સ અર્પણ કરવામાં આવી

આ પ્રસંગે શરદબાપુ મહંત દયાવાન ગૌ શાળા ઘેટી ગામ તા. પાલીતાણા,હસમુખનાથબાપુ મહંત ગઢુલા,મહંત શિવ મંદિર સણોસરા તથા શંભુગીરીબાપુ મહંત શિવ મંદિર જરીયા તથા સુરત સ્થિત ગૌ પ્રેમી પ્રવીણભાઈ માણિયા,હરિભાઈ ભરવાડ ઉમરાળા,કુલદીપભાઈ વાવડી,મુકેશભાઈ સાંબડ, ગોપાલભાઈ જોટાણા સણોસરા,તથા આજુબાજુ ગામોના ગૌપ્રેમીઓ અને જરિયા ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ

આ એબ્યુંલન્સ દ્રારા સણોસરા આજુબાજુના ગામોમાં નિરાધાર અબોલ પિડિત જીવોને ગૌ હોસ્પીટલમાં મોકલવા માટે એમ્બયુલન્સનો ઉપયોગ કરવામાં માટે વિપુલભાઈ લુણી જરીયા :- ૯૭૧૪૧૦૫૪૦૯
અમિતભાઈ ઘાંઘળ જરીયા :- ૭૮૬૩૦૪૩૪૬૩ આ નંબર પર ખાસ નિરાધાર જીવો માટેજ સંપર્ક કરવા વિનંતી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 580

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *