Latest

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ કાછડીયા

સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામના ખેડૂતો દ્વારા પાણી પુરવઠા યોજના અંતર્ગત ચાલતા કામમાં રૂકાવટ લાવતા આ પ્રશ્નની જાણ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયા ને થતા તેઓએ સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાની સૂચના અને માર્ગદર્શન નીચે ખેડૂતોને તથા અધિકારીઓને સાથે રાખી સ્થળ ઉપર સમજાવટ કરી અને આ પ્રશ્નનું સુખદ સમાધાન કરાવી વિકાસના કામને આગળ વધારવાનો પ્રયાસ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે

અને આ પ્રશ્નના નિકાલથી લોકોમાં ગેરસમજ જે હતી તે દૂર કરાવી ખેડૂતોને થતા પાકના નુકસાનનો નિયમો મુજબ વળતર સહાય મળે તેવી અધિકારીઓ તરફથી પણ સંમતિ આપતા આ પ્રશ્નનું સુખદ સમાધાન કરવામાં આવેલ છે આ કાર્યવાહીમાં તાલુકા પંચાયત સાવરકુંડલાના પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયા તથા સાવરકુંડલા તાલુકાના સરપંચ એસોસિએશનના પ્રમુખશ્રી હિતેશભાઈ ખાત્રાણી તથા ખેડૂતો અને ગામ આગેવાનો સાથે પાણી પુરવઠાના અધિકારીઓ પણ હાજર રહેલ હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત સાબરમતી ગુરુકુલમ્ ખાતે ‘આર્ય ઉત્સવ’ વાર્ષિક મહોત્સવ યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુકુળમાં…

1 of 597

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *