Latest

સાબરકાંઠા જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો 

કપિલ પટેલ દ્વારા હિંમતનગર

રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે આયોજીત સ્વાતંત્ર્ય સેનાની સન્માન કાર્યક્રમ કલેક્ટર કચેરી સભાખંડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત દેશને સ્વતંત્ર કરાવવામાં જેમણે અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેવા સાબરકાંઠા જિલ્લાના અનસંગ હીરો-સ્વાતંત્ર્ય સેનાની/સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોને સન્માન યોજાયો હતો.

આ પ્રસંગે કલેક્ટર નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા અને જિલ્લા પોલીસ અધિક્ષક વિશાલ વાઘેલાના વરદ હસ્તે શાલ, મોમેન્ટો અને બુકેથી સન્માન  કરવામાં આવ્યું. જેમાં લીલાબેન વસાવા, સ્વ. રતિલાલ કાલીદાસ રાવલ અને સ્વ. રજનીકાંત રેવાશંકર ઉપાધ્યાયના પરિવારજનોને સન્માનિત કરાયા હતા.

આઝાદીની લડત દરમિયાન  સ્વાતંત્ર્ય સેનાનીઓ એ પોતાની કે પોતાના પરિવારજનોની ચિંતા કર્યા વગર આઝાદીની લડતમાં પોતાની જાતને હોમી દઇ હિંદ છોડો આંદોલન, દીવ દમણ અને ગોવા મુક્તિ આંદોલન જેવી અનેકવિધ ગતિવિધિઓમાં ભાગ લઇ દેશને સ્વતંત્ર કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. એવા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું સન્માન કરી સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર ગૌરવની લાગણી અનુભવે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *