Latest

સિહોર ખાતે યોજાનાર મહા સમેલન માટે ભાવનગર જિલ્લા કરણીસેના દ્વારા તડામાર તૈયારીઓ

 

સિહોર ખાતે કરણી સેના દ્વારા આયોજિત સંમેલનમાં ક્ષત્રિયોની વચ્ચે રહેલા વિવિધ વાડાઓ દૂર કરી તમામ ક્ષત્રિયોને એક તાંતણે બાંધી ક્ષત્રિયોનું સંગઠન કરી તમના ઉત્થાન માટેના ઉદેશ્ય સાથે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના કામ કરી રહી જે જે અનુસંધાને સમગ્ર ગુજરાતમાં રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના દ્વારા સંમેલનો થઈ રહ્યા છે સિહોરમાં તા. ૨૫/૦૬/૨૦૨૨,શનિવાર ના રોજ ભાવનગર જિલ્લા કરણીસેના દ્વારા મહારેલી તેમજ મહાસંમેલનનું આયોજન કરેલ હોય,જેમાં ગુજરાત તેમ જ સમગ્ર દેશ માંથી કરણી સેનાના આગેવાનો પધારી રહ્યા હોય આ કાર્યક્રમને સફળ બનાવવા ભાવનગર જિલ્લા કરણીસેના દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે સાથે સાથે ભાવનગર જિલ્લાના ક્ષત્રિય સમાજના ગામડાઓમાં પણ મિટિંગો કરી સમાજમાં આ કાર્યક્રમ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે અને નિમંત્રણો આપવામાં આવી રહ્યા છે આ સંમેલનને એક રીતે ક્ષત્રિય રાજપૂત સમાજના શક્તિ પ્રદર્શન તરીકે પણ જોવામાં આવી રહ્યું હોય ત્યારે યુવાનો તથા વડીલોને વધુમાં વધુ સંખ્યામાં રેલી તથા સંમેલનમાં જોડાઈ આ કાર્યક્રમને સફળ બનાવવા ભાવનગર જિલ્લા પ્રભારી અશ્વિનસિંહ ડાયમા,જિલ્લા પ્રમુખ ઘનશ્યામસિંહ મોરી તથા ભાવનગર શહેર પ્રમુખ જનકસિંહ ચાવડાની યાદીમાં જણાવાયું છે

રીપોર્ટ નિલેષ ઢીલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત સાબરમતી ગુરુકુલમ્ ખાતે ‘આર્ય ઉત્સવ’ વાર્ષિક મહોત્સવ યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુકુળમાં…

1 of 598

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *