Latest

“ઘોડા અને સિંહ પરના છપાકરા”ના રચયિતા ભાવનગરના રાજકવિશ્રી બળદેવભાઈ નારેલાને માંગલશક્તિ એવોર્ડ એનાયત

પૂજ્ય મોરારિબાપુના હસ્તે તેમના વારસદારોને એવોર્ડ એનાયત કરાયો

“ચીલોવડ શક્તિ તણો ચારણ ચૂકી જાત, જનમી નો’ત જો જગતમાં મઢડે સોનલમાત” આવા માતાજીના અનેક દુહાઓની રચના કરી

રાજકવિશ્રી બળદેવભાઈના પિતામહશ્રી અને દાદાશ્રીના સાહિત્ય ક્ષેત્રે અદભુત પ્રદાનને એકત્ર કરીને ૧૯૭૩ માં “પિંગળવાણી” સ્વરૂપે તૈયાર કર્યું હતું

“ઘોડા અને સિંહ પરના છપાકરા”ના રચયિતા ભાવનગરના રાજકવિશ્રી બળદેવભાઈ નારેલાને માંગલશક્તિ એવોર્ડ મોગલધામ ભાગુડા ખાતે એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ પૂજ્ય મોરારિબાપુના હસ્તે તેમના વારસદારોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

“ચીલોવડ શક્તિ તણો ચારણ ચૂકી જાત, જનમી નો’ત જો જગતમાં મઢડે સોનલમાત” આવા માતાજીના અનેક દુહાઓની રચના રાજકવિશ્રી બળદેવભાઈ હરદાનભાઈ નારેલાએ કરી છે જે હાલમાં સાહિત્યકારો દ્વારા ડાયરામાં બોલવામાં આવે છે.

શ્રી બળદેવભાઈના સાહિત્યક્ષેત્રના ખાસ પ્રદાનને ધ્યાને લઈને માંગલશક્તિ એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત તેમના પિતામહશ્રી પાતાભાઇ નારેલા અને દાદાશ્રી પિંગળશીભાઇ નારેલા વગેરેનું પણ સાહિત્ય ક્ષેત્રે અદભુત પ્રદાન રહ્યું છે.

તેઓનું સાહિત્ય આજે પણ ખૂબ જ લોકભોગ્ય છે. શ્રી બળદેવભાઈએ તેઓનું સાહિત્ય એકત્ર કરીને અથાગ પ્રયત્નો કરીને “પિંગળવાણી” સ્વરૂપે ૧૯૭૩ માં તૈયાર કર્યું હતું. શ્રી બળદેવભાઈ ૧૯૬૫ ના વર્ષથી આજીવન રાજ્યકવિપદ સાંભળેલ છે.

શ્રી બળદેવભાઈ ઉપર આઈ શ્રી સોનબાઈ માતાજીની અસીમ કૃપયા હતી જેથી માતાજીની અનેક રચનાઓ એમણે બનાવેલ છે.

આ ઉપરાંત રાજકવિશ્રી બળદેવભાઈ નારેલાએ નદી, દુષ્કાળ અને દેશભક્તિના પણ અનેક છપાકરા લખેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *