Latest

અપેક્ષા ફાઉન્ડેશનનું સફળ આયોજન: રાજ્યમાં સૌપ્રથમ વખત 50 દિવ્યાંગો ગીરને ખુંદી વળ્યાં

ગાંધીનગર, સંજીવ રાજપૂત: સમગ્ર ગુજરાતમાં નિરાધાર દિવ્યાંગો માટે કાર્યરત અપેક્ષા ફાઉન્ડેશન દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ વખત અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. ‘ગાંડી ગીરની ગોદમાં, દિવ્યાંગો મોજમાં’ નામના અર્થસભર ગીર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં 50 જેટલા દિવ્યાંગોએ 2 દિવસ સુધી ગીરમાં રહી દેવળિયા પાર્ક સફારી, સોમનાથ દાદાના દર્શન અને જંગલ વચ્ચે રહી મોજ માણી હતી તેમજ સાસણ ગીરને ખુંદી વળ્યા હતા.

પ્રકૃતિની મહેક કેવી હોય, પ્રાણીઓના અવાજ કેવા હોય, પશુઓનો કલરવ કેવો હોય… આ બધી વસ્તુનો અનુભવ જીવનમાં પહેલીવાર કરનાર દિવ્યાંગો ખરેખર પ્રવાસ પછી ખુબ ખુશ હતા. દરેક લોકોના ચહેરા પર એક અનોખું જ સ્મિત હતું. ગીરની રઢિયાળી સાંજમાં પ્રકૃતિના સુર સાથે દિવ્યાંગોએ પોતાના સુર રેલી અનોખું આલ્હાદાયક વાતાવરણ ઉભું કર્યું હતું. તો વળી ડીજે નાઈટમાં ડાન્સ અને ગરબાની રમઝટ પણ બોલાવી હતી.

અપેક્ષા ફાઉન્ડેશનના આ આયોજનમાં લાભ લેનારા દિવ્યાંગો એવા હતા કે જેઓ એકદમ નિરાધાર છે. કાં તો કોઈ લીપમેનની નોકરી કરે છે કાં તો કોઈ બીજાને ત્યાં કચરા પોતા કરવા જાય છે. કોઈ છુટક મજુરી કરે છે અથવા તો કોઈનું શરીર કામ કરી શકે એટલું સક્ષમ જ નથી.

ત્યારે આવા નિરાધાર અને દિવ્યાંગ મિત્રો માટે ગીરનો પ્રવાસ કે સોમનાથ દાદાના દર્શન આર્થિક રીતે પરવડે એ વાત શક્ય નથી લાગતી. જેથી અપેક્ષા ફાઉન્ડેશન દ્વારા આ આયોજન કરી સૌને આજીવન યાદ રહે એવી અનુભૂતિ કરાવી હતી. આ આયોજનમાં દાતાઓએ પણ ખુલ્લા દિલે આર્થિક દાન આપી સહયોગ આપ્યો હતો. તેમજ સ્વયંસેવકોએ પણ અહમ ભુમિકા નિભાવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *