Latest

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્રારા સુરક્ષા સેતુ સોસાયટી આયોજીત મારું ગામ સલામતી ગામ સેમીનાર યોજાયો 153 ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા હરેશ દુધાત ના જરુરી માર્ગદર્શન અને સુચનાથી જીલ્લામાં ગુનાહીત પ્રવૃત્તિઓને ડામવા કાર્યવાહી હાથ ધરેલ આ ઉપરાંત સુરેન્દ્રનગર જીલ્લામાં ખેતી આધારિત આજીવીકા રોજીરોટી મેળવવા પરપ્રાંતીય મજુરો આવતા હોય છે

ગામના પ્રથમ નાગરીક સરપંચ દ્વારા દરેક મુમેન્ટ સહિત મજુરી અર્થે આવક જાવક કરતા લોકો ઉપર નજર બની રહે આ ઉપરાંત થોડાક સમયમા મજુરી કામ અર્થે આવેલ લોકો ગુનાહો ને અંજામ આપી જતા રહેવાના ધણા બનાવો બનેલ , નાસતા ફરતા આરોપીઓ , ગુનાહીત પ્રવૃત્તિઓ કરતા આરોપીની ગુનાહીત પ્રવૃત્તિઓને નેસ્ત નાબુદ કરવા તમામનો ડેટા , સીસીટીવી કેમેરા સહિત ની ચોક્કસાઇ કાર્યવાહી માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત દ્રારા સેમીનારનુ આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિત , સી.પી મુધવા , નાયબ પોલીસ અધિક્ષક એચ.પી દોશી , વિ.વિ ત્રિવેદી તથા એલ.સી.બી તથા એસ.ઓ.જી ઈસ્પેકટર સહિત જરુરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ

સુરક્ષા સેતુ સોસાયટી આયોજીત મારું ગામ સલામતી ગામ કાર્યક્રમ અંતર્ગત સેમીનાર યોજાયો હતો આ સેમિનારમાં જીલ્લાના ધ્રાંગધ્રા , પાટડી , દસાડા , ઝીંઝુવાડા , બજાણા સહિત પોલીસ મથક વિસ્તારના 153 ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા આ સેમીનાર તમામ લોકોની માહિતી કેવી રીતે એકઠી કરવી તે અંગે માર્ગદર્શન સાથે તમામ સરપંચો દીઠ એક એક સરપંચોને 50 માહીતી ફોર્મ આપવામાં આવ્યા હતા

આ ઉપરાંત ગામના સ્વભંડોળ એકઠું કરી ગામના તમામ પ્રવેશ દ્વારો ઉપર સીસીટીવી કેમેરા થી સજ્જ કરવા જીલ્લા પોલીસ વડા હરેશ દુધાત દ્રારા ગ્રામ પંચાયતના સરપંચોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

બ્યૂરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

1 of 606

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *