Latest

પરંપરાની પ્રતિષ્ઠા કાર્યક્રમમાં માં ઉમિયાના આશિર્વાદ લઈ સમાજ પ્રત્યેની પોતાની ધાર્મિક પરંપરાને સાર્થક કરતા રાજ્યના શિક્ષણમંત્રી

શ્રી ઉમિયાધામ-લીલીયા મોટા ખાતે સામાજિક, વૈચારીક તેમજ આધ્યાત્મિક ક્રાંતિના ત્રિવેણી સંગમ એવા “25 મો રજતજયંતિ મહોત્સવ”નું આયોજન કરવામાં આવેલ છે એ કાર્યક્રમ ના દ્વિતીય દિવસે ‘પરંપરાની પ્રતિષ્ઠા’ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે લોકોને સંબોધન સાથે માં ઉમિયાના દર્શન કરી આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી.

શિક્ષણમંત્રી પ્રફુલભાઈએ જણાવ્યું હતું કે માં ઉમિયાની અતુલ્ય અને અવિરત ઉર્જાનું આ રજત વર્ષ નિમિત્તે આપણે સૌ સાથે મળી માં ઉમિયા પ્રત્યે આસ્થા, શ્રઘ્ધા, ભકિતભાવથી જોડાઇ ભાવનાત્મક એકતા સાથે તન, મન અને ધનથી આ મહોત્સવને સફળ બનાવીએ.

આ પ્રસંગે ઇફકોના ચેરમેન માન. દિલીપભાઈ સંઘાણી, ઉમિયાધામ લીલીયા પ્રમુખ બાબુભાઈ ધામત, ઉમિયાધામ પ્રમુખ જેરામભાઈ વાસજાલિયા, રજતજયંતિ મહોત્સવના ચેરમેન વજુભાઈ ગોલ, સામાજિક અગ્રણી મગનભાઈ વિરાણી તેમજ સામાજિક આગેવાનશ્રીઓ, રાજકીય હોદ્દેદારશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *