Latest

પરંપરાની પ્રતિષ્ઠા કાર્યક્રમમાં માં ઉમિયાના આશિર્વાદ લઈ સમાજ પ્રત્યેની પોતાની ધાર્મિક પરંપરાને સાર્થક કરતા રાજ્યના શિક્ષણમંત્રી

શ્રી ઉમિયાધામ-લીલીયા મોટા ખાતે સામાજિક, વૈચારીક તેમજ આધ્યાત્મિક ક્રાંતિના ત્રિવેણી સંગમ એવા “25 મો રજતજયંતિ મહોત્સવ”નું આયોજન કરવામાં આવેલ છે એ કાર્યક્રમ ના દ્વિતીય દિવસે ‘પરંપરાની પ્રતિષ્ઠા’ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે લોકોને સંબોધન સાથે માં ઉમિયાના દર્શન કરી આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી.

શિક્ષણમંત્રી પ્રફુલભાઈએ જણાવ્યું હતું કે માં ઉમિયાની અતુલ્ય અને અવિરત ઉર્જાનું આ રજત વર્ષ નિમિત્તે આપણે સૌ સાથે મળી માં ઉમિયા પ્રત્યે આસ્થા, શ્રઘ્ધા, ભકિતભાવથી જોડાઇ ભાવનાત્મક એકતા સાથે તન, મન અને ધનથી આ મહોત્સવને સફળ બનાવીએ.

આ પ્રસંગે ઇફકોના ચેરમેન માન. દિલીપભાઈ સંઘાણી, ઉમિયાધામ લીલીયા પ્રમુખ બાબુભાઈ ધામત, ઉમિયાધામ પ્રમુખ જેરામભાઈ વાસજાલિયા, રજતજયંતિ મહોત્સવના ચેરમેન વજુભાઈ ગોલ, સામાજિક અગ્રણી મગનભાઈ વિરાણી તેમજ સામાજિક આગેવાનશ્રીઓ, રાજકીય હોદ્દેદારશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 606

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *