Latest

વરાછા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીની અધ્યક્ષતામાં ‘યોગ સંવાદ’ યોજાયો

યોગના માધ્યમથી મનને એકાગ્ર કરી માનસિક શાંતિ મેળવી શકાય છે: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા

સુરતઃશનિવારઃ ગુજરાત રાજ્ય યોગબોર્ડના ચેરમેનશ્રી યોગ સેવક શિશપાલજીની અધ્યક્ષતામાં અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાની ઉપસ્થિતિમાં વરાછાના સરદાર સ્મૃતિ ભવન ખાતે ‘યોગ સંવાદ’ યોજાયો હતો.

આ પ્રસંગે શિશપાલજીએ જણાવ્યું હતું કે, ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુકત ગુજરાત’ અભિયાન રાજ્ય સરકારે શરૂ કર્યું છે, ત્યારે યોગ પ્રાણાયમ થકી સ્વાસ્થ્ય સુધારી શકાય છે, સ્વસ્થ અને મેદમુક્ત બની શકાય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘ફિટ ઇન્ડિયા’ના ધ્યેય સાથે યોગ સાધના, ખેલકૂદ, પરિશ્રમ તથા વ્યાયામને અપનાવવા આગ્રહ કર્યો છે. તેઓ દેશવાસીઓને આ માટે અનેક મંચ પરથી પ્રેરણા પણ આપતા રહ્યા છે

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કહ્યું કે, યોગના માધ્યમથી મનને એકાગ્ર કરી માનસિક શાંતિ મેળવી શકાય છે. યોગ માનવીને નિર્ભિક અને ઉર્જાવાન બનાવે છે, યોગ એ ચોક્કસ દિશામાં મનને વાળવા સાથે જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. નિયમિત કસરત, યોગ, ચાલવુ-દોડવું વગેરે શરીરને ચુસ્ત-દુરસ્ત રાખે છે.

મેદસ્વિતાને દૂર કરી જીવનને સ્વસ્થ-તંદુરસ્ત બનાવવાના આ જનસેવા અભિયાનમાં રાજ્યની પ્રત્યેક વ્યક્તિ, પરિવાર અને સંસ્થાઓને સક્રિય સહયોગ આપવા અનુરોધ કરી, જનભાગીદારીથી ગુજરાતને આરોગ્ય સુખાકારી માટેનું મોડેલ સ્ટેટ બનાવવા સૌને મંત્રીશ્રીએ આહ્વાન કર્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *