Latest

રાધનપુર મસાલી રોડ પર વોલ્ટેજ વધ ઘટ થી રહીશો પરેશાન…છ માસ અગાઉ લેખિત રજૂઆત કરવા છતા તંત્રના ઠાગા થૈયા.

એબીએનએસ, રાધનપુર :. રાધનપુર શહેરના મસાલી રોડ પર આવેલ સોસાયટીમાં કેટલાય સમયથી વોલ્ટજ વધ ઘટ થી સોસાયટીના રહીશો ને પરેશાની વેઠવી પડી રહી છે.અચાનક વોલ્ટજ વધ ઘટ થવાથી ઘરના ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકશાન થાય છે

જેને લઇને સરસ્વતી સોસાયટીના રહીશો દ્વારા છ મહિના પહેલા રાધનપુર યુજીવીસીએલ કચેરીના કાર્યપાલક ઈજનેર ને લેખિત રજૂઆત કરી હતી પરંતુ તંત્ર દ્વારા આજ સુધી કોઈજ કામગીરી કરવામાં આવી નથી જેને લઇને સ્થાનિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી.

રાધનપુર મસાલી રોડ કેટલાય સમયથી વોલ્ટજ વધ ઘટ થવાને કારણે વીજ ફોલ્ટ સર્જાતા વીજળી ગુલ થવાના બનાવો છાસવારે બનતા હોય છે ઉનાળાના સમયમાં લો વોલ્ટેજને કારણે પંખા માંડ માંડ ફરતા હોય છે જ્યારે એ.સી.તો ચાલુ પણ થતા નથી હોતા

જેને લઈને મસાલી રોડ પર આવેલ સરસ્વતી સોસાયટીના રહીશો દ્વારા તા.૨૨/૫/૨૦૨૪ ના રોજ રાધનપુર યુજીવીસીએલ કચેરીના કાર્યપાલક ઈજનેર તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.ત્યારે રજૂઆત આધારે તાત્કાલિક કામગીરી કરવાની હૈયાધારણા કચેરીના અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી.

પરંતુ યુજીવીસીએલ કચેરી દ્વારા કોઈજ નક્કર કામગીરી કરવામાં ના આવતા આ બાબતે કાર્યપાલક ઈજનેર તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર ને વારંવાર ટેલીફોનીક રજૂઆતો કરવા છતાં પણ આજ સુધી વોલ્ટેજ વધ ઘટની સમસ્યાનું નિવારણ કરવામાં ના આવતા સોસાયટીના રહીશોમાં યુજીવીસીએલ કચેરી સામે રોષ વ્યાપ્યો હતો અને આ બાબતે ઉચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી.

મસાલી રોડ પર વારંવાર વીજ ફોલ્ટ થાય છે:-

રાધનપુર શહેરના મસાલી રોડ પર આવેલ સોસાયટીઓમાં રહેતા લોકોના વીજ વપરાશ મુજબ ટ્રાન્સફોર્મર નાખવામાં આવેલા નથી.અને કેટલાક ટ્રાન્સફોર્મર ની કેપેસીટી થી વધુ કનેક્શનો આપવાને કારણે લોડ પડતા વારંવાર વીજ ફોલ્ટ સર્જાય છે.

જેની જાણ યુજીવીસીએલ કચેરીના અધિકારીઓ ને હોવા છતાં અધિકારીઓ દ્વારા કોઈજ નક્કર કામગીરી આજદિન સુધી કરવામાં આવેલ નથી જેને લઇને ક્યારેક વીજ ફોલ્ટ થી લોકોને મોટું નુકશાન વેઠવાનો વારો આવશે તેવી સ્થાનિક રહીશોનું માનવું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *