રાધનપુર,એ.આર. એબીએનએસ : “એક પેડ માં કે નામ” વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે પાટણ જીલ્લાના હારીજ ખાતે હારીજ માર્કેટયાર્ડના ચેરમેન વાઘજીભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં હારીજ માર્કેટયાર્ડ ગ્રાઉન્ડ ખાતે માર્કટયાર્ડ સમિતિ , હારીજ તાલુકા સહકારી, ખરીદ વેચાણ સંઘ ,ખેતીબેંક ના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ચેરમેન વાઘજીભાઈ ચૌધરી,વાઇસ ચેરમેન દિલીપભાઈ ઠક્કર, ઇન્ચાર્જ સેક્રેટરી વિનોદભાઈ ચૌધરી, સંઘ મેનેજર નરેશભાઈ ચૌધરી,ખેતી બેંક મેનેજર પિન્કીબેન ચૌધરી,નવલસંગ ચૌહાણ,રામજીભાઈ દેસાઈ,જીગરભાઈ મહેતા, માજી સેક્રેટરી ભગવાનભાઈ ચૌધરી,માર્કેટયાર્ડ સ્ટાફ, હોદેદારો, ડિરેક્ટરો, વેપારી મંડળ દ્વારા વૃક્ષારોપણ કરી પ્રકૃતિનું જતન કરી પ્રકૃતિનું જતન કરવાના સંકલ્પ લીધા હતા. આગામી દિવસોમાં માર્કેટયાર્ડ ગ્રાઉન્ડમાં વધુ વૃક્ષારોપણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.