બનાસકાંઠા કલેકટર કચેરી દ્ગારા વન અભ્યારણ કારણે 2009 મા ના મંજુર ત્યારે બાદ 2016મા પણ ના મંજુર તો 2017મા મંજુરી કેવી રીતે
અંબાજી નજીક પાન્સા ગામે આવેલ સર્વે નં.૨ ની ૨.૪૨.૮૨ હે.જમીન મારબલ ઉદ્યોગ માટે વેચાણ કરાયેલ હતી.જે બાબતે અંબાજી ના એક જાગૃત નાગરિક દ્વારા સી.એમ પોર્ટલ માં ફરિયાદ કરાતા ,સી.એમ પોર્ટલ દ્વારા દિવસ ૭ માં ફરિયાદ નો જવાબ આપવા જાણ કરાઈ હતી.
પરંતુ આ બાબતે ૭ – ૭ દિવસ થવા છતાં વન વિભાગ દ્વારા આ બાબતે કઈ જવાબ અપાયો નહોતો .વન વિભાગ નિષ્ફળ નિવડયુ હતું.
વન વિભાગ દ્વારા અભ્યારણ મે આરક્ષિત અને ૭૩ એ એ હેઠળ અંબાજી ને આજુબાજુ ના ગામ માં જમીન ભૂમાફિયા ગરીબ પરિવારો ને ભોળવી ને જમીન પચાવી પાડતા હોય છે આવી જમીન વેપાર ઉદ્યોગ માટે વેચાણ થતી હોય છે થઈ છે . અંબાજી ગામ ની એક જાગૃત નાગરિક ને વાત ની જાણ થતા જમીન બાબતે તપાસ કરતા આ જમીન અભ્યારણ આરક્ષણ હોયતો મારબલ ઉદ્યોગ માટે અભયારણ્ય ને નુકસાન ની જવાબદારી કોણ??
તે એક વિચાર નો સવાલ છે 2009મા ના મંજુર કરવામાં આવી હતી ત્યારે બાદ 2016મા પણ ના મંજુર કરવામાં આવી હતી તો 2017 માં કેવી રીતે મંજુરી આપવામા આવી.નહીં તે બાબતે દાંતા વિભાગ પાસે થી માહિતી નહીં મળતા છેવટે સી.એમ સ્વાગત પોર્ટલ માં ફરિયાદ કરાતા વન વિભાગ પર જવાબ આપવા નિષ્ફળ જાવા મળી છે
શું આ જગ્યા પર વન અભ્યારણ હોય તો મારબલ ઉદ્યોગ હેતુ ના કારણ જો અભયારણ્ય નું નુકશાન થયું તો જવાબદાર કોણ શું આ કાયદો ફક્ત ગરીબો માટે છે કાયદો બધા એક સરખા હોય છે કે પછી નોટો નો વરસાદ થી મંજુરી આપવા માં આવી છે
રિપોર્ટર….. અમિત પટેલ અંબાજી















