bhavnagarBreaking NewsGujaratLocal IssuesOther

ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આર.ટી.ઓ. સર્કલથી જવેલ્સ સર્કલ તરફ જતા રસ્તાના કામની મુલાકાત લીધી

ભાવનગર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તથા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આર.ટી.ઓ. સર્કલ થી જવેલ્સ સર્કલ તરફ જતા રસ્તાના કામની મુલાકાત લીધી હતી.

મંત્રીશ્રીએ તૈયાર થઈ રહેલા રસ્તાની તેમજ નિર્માણધીન ઓવરબ્રિજની સ્થળ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરીને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

આ મુલાકાત દરમ્યાન મેયર શ્રી ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ, મ્યુનિસિપલ કમિશ્નર ડૉ. એન.કે.મીના, આગેવાન શ્રી કુમારભાઈ શાહ સહિતના પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

એક સાંધે ત્યાં તેર તુટે જેવો ઘાટ ડોક્ટરો વિહોણું ધારીનુ અદ્યતન સિવિલ હોસ્પિટલ માત્ર અડીખમ બિલ્ડીંગ

કાયમી ડોક્ટરો ની નિમણુંક કે પછી દર્દીઓની રઝળપાટ પાછી શરૂ થશે ?? ગીર વિસ્તાર ના…

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે ચર્ચા

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનર્વિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ…

1 of 95

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *