bhavnagar

ગઢડાનાં ધારાસભ્ય શંભુનાથ ટુંડીયા દ્વારા મુખ્યમંત્રી પાસે સ્પેશિયલ મામલતદારની માંગ કરી

ઉમરાળા મામલતદારની ૧૧ માસથી ખાલી જગ્યા પર અંગત વ્યક્તિની નિમણૂક કરવા મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરાઈ

ઉમરાળા મામલતદાર તરીકે ઓળખીતા ની માંગ વિષયે લખેલ પત્રમાં તેઓએ જણાવ્યું હતું કે તેમના મત વિસ્તારમાં મામલતદાર ની જગ્યા ખાલી પડી હોય લોકોના કામમાં મુશ્કેલી પડતી હોવાથી ગીર સોમનાથ ખાતે ફરજ બજાવતા એસ.વી. જાંબુચ ને ઉમરાળા ખાતે મુકવા ધારાસભ્ય ટુંડીયા જી દ્વારા ભલામણ કરાતા

ઉમરાળા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા આકરા પ્રહારો કરાયા ગોહિલ દ્વારા જણાવાયું કે એવું ઈચ્છીએ છીએ કે, ધારાસભ્ય એ આ બાબતે ખુલાસો કરવો જોઈએ કે,

(૧) ગીર સોમનાથ ખાતે ફરજ બજાવતા એસ.વી.જાંબુચ એ બાપુના કોઈ નજીકના સગા છે ? કે પછી,

(૨) તેઓના ઉમરાળા મામલતદાર તરીકે આવવાથી ધારાસભ્ય ને કોઈ અંગત લાભ થાય તેમ છે ?

(૩) શું એસ.વી. જાંબુચ એકમાત્ર અધિકારી છે જેઓ ઉમરાળા નાં લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરી શકે તેમ છે ?

ધારાસભ્યએ મુખ્યમંત્રી ને મામલતદાર આપવા વિનંતી કરવી જોઈએ પરંતુ વ્યક્તિગત રીતે અધિકારી ની માંગણી શું કશુંક સૂચવી રહી ?

તમામ પ્રશ્નો નાં જવાબ માત્ર ધારાસભ્ય શંભૂનાથ ટુંડિયા જી આપી શકે તેમ છે અને એમને જવાબ આપવો જોઈએ

રિપોર્ટર નિલેશ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

1 of 78

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *