Other

ગારિયાધાર તાલુકા પત્રકાર એકતા પરીષદ દ્વારા સલીમભાઈ ને વૃક્ષારોપણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

 

ગારિયાધાર તાલુકાના પત્રકારો દ્વારા ગુજરાત પત્રકાર એકતા પરિષદ ના પ્રેરણા સ્ત્રોત્ર સ્વ.સલીમભાઈ બાવાણી ની બીજી પૂર્ણતિથિ નિમિતે સમગ્ર ગુજરાતમાં 33 જિલ્લા અને 252 તાલુકામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

અમારા પત્રકાર એકતા પરિષદના પ્રેરણા સ્તોત્ર અને વરિષ્ઠ પત્રકાર સલીમભાઈ બાવાણી એ વિદાઈ લીધાને બે વર્ષ પૂર્ણ થાય છે.

સંગઠનના પ્રેરણા સ્તોત્રને સાચી શ્રધ્ધાંજલિ આપવા ગુજરાતમાં ૩૩ જિલ્લા અને ૨૫૨ તાલુકાની કારોબારી સાથે પત્રકારોનું સંગઠન પૂર્ણ થયું છે પરંતુ સંગઠનના પ્રેરણા સ્તોત્ર સલીમભાઈ એ આપણી વચ્ચેથી વિદાઈ લીધી તેના માનમાં સમગ્ર ગુજરાતમાં દરેક તાલુકા મથકે પત્રકાર એકતા પરિષદ દ્વારા વૃક્ષારોપણ કરી એમના આત્માને શાંતિ મળે અને સાચી શ્રધ્ધાંજલિ આપવાના પ્રયાસ રૂપિ વૃક્ષારોપણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.

ગારિયાધાર તાલુકા પંચાયત ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ગારિયાધાર પત્રકાર એકતા પરિષદના પ્રમુખ રફીક સોલંકી, તેમજ ચિરાગભાઈ ચાવડા, તનવિરભાઈ ધ્રુજ, શિલ્પેશભાઈ પરમાર, હેમરાજસિંહ વાળા , વિજયભાઈ નથવાણી, અજીમ કાસમાણી, અલ્તાફ દલ, મહેશ ગોધાણી, અશોકભાઈ ચાહણ, જોડાયા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર એરપોર્ટ ખાતે સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક મળી હતી.

સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *