Other

દિકરા માટે આ બહેને માં મોગલ ની માનતા રાખી, જ્યારે 11 વર્ષ બાદ દિકરા નો જન્મ થયો અને માં મોગલ ધામ પહોંચ્યા ત્યારે…..જુવો વિડિયો

માં મોગલ ના પરચા અપરંપાર છે. માં મોગલ પર શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. કહેવાય છે કે માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય. તેમનો મહિમા પણ અપરંપાર રહ્યો છે. જ્યારે પણ ભક્તોના જીવનમાં દુખ આવે છે.

ત્યારે તેઓ અચૂક માં મોગલ ને યાદ કરે છે અને માં મોગલ ની માનતા માની. કહેવાય છે કે માં મોગલ નિ:સંતાન દંપતિના ઘરે 50 વર્ષે પણ દીકરા દીધા છે. એવામાં જ આપણે એક એવા જ પરચા વિશે વાત કરીશું કે જ્યાં એકદમ પતિના લગ્નના 11 વર્ષ વિતી ગયા છતાં તેમના ઘરે પારણું બંધાયું ન હતું.

ઘણી જગ્યાએ બતાવ્યું છતાંય કોઈ ઉકેલ આવ્યો ન હોતો. ત્યારે અંતે આ દંપતિએ માં મોગલને યાદ કર્યા અને માં મોગલ પર શ્રદ્ધા રાખી સંતાન પ્રાપ્તિ માટે માં મોગલની માનતા માની હતી. માં મોગલ પર શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ અચૂક ભક્તોની બધી જ સમસ્યાઓનો ઉકેલ લાવે છે.

ત્યારે આ યુવતીનો વિશ્વાસ ફળિયો અને લગ્નના 11 વર્ષ પછી માં મોગલની કૃપાથી એ યુવતીના ઘરે પારણું બંધાયું અને દીકરાનો જન્મ થયો. આ પરિવારમાં દીકરાના જન્મ થતાની સાથે જ પરિવાર થઈ ગયો હતો. 11 વર્ષ પછી ઘરે પારણું બંધાયું અને તેની ખુશીથી તે માં મોગલ ની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ આવેલા માં મોગલધામે આવી પહોચી.

ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે. મણીધર બાપુએ યુવતીને આશીર્વાદ આપતા કહ્યું કે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો જેનાથી તમારી મનોકામના પૂર્ણ થઈ છે આ કોઈ ચમત્કાર નથી.

એ યુવતી માં મોગલની માનતા પૂરી કરવા માં મોગલને ચાંદીનો છત્ર ચઢાવવા માટે લાવી હતી જે મણિધર બાપુએ તેને પરત આપ્યું અને કહ્યું કે આ છત્ર તારી કુળદેવીને ચઢાવજે માં મોગલ રાજી થશે. માં મોગલને કોઈ દાન ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.

Related Posts

કોલવડા ખાતે ભવ્ય નેત્ર નિદાન કેમ્પ યોજાયો – 477 દર્દીઓની આંખોની તપાસ, 65 મોતીયા ઓપરેશન માટે પસંદગી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી ધનસુરા તાલુકાના કોલવડા ગામે મોડાસા તાલુકા ડુંગરવાડા…

1 of 22

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *