Other

ઉના તાલુકાના વાંસોજ ગામમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક શ્રી દિલીપભાઈ ડાભી ની બદલી થતાં વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો

ગીર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકાના વાંસોજ ગામ ખાતે છેલ્લા 14 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા દિલીપભાઈ ડાભી સાહેબ ની તેમના વતન બદલી થતાં તેમને ગમ અને ખુશી બંને જોવા મળી હતી

કાર્યક્રમમાં ઉપસ્થિત ગીર સોમનાથ જિલ્લા પંચાયત ના પુર્વ પ્રમુખ શ્રી હરિભાઈ સોલંકી ઉના તાલુકા પંચાયત પુર્વ કારોબારી ચેરમેન શ્રી મોહનભાઈ વાજા તેમજગ્રામ પંચાયતના સદસ્યો, સીઆરસી રોહિતભાઈ ડોડીયા,ઉના તાલુકાના સૂચિત સંઘ ના પ્રમુખ કિશોરભાઈ ચરણીયા, આરોગ્ય વિભાગ ના ર્ડો પૂજાબેન તેમજ ઘનશ્યામભાઈ એમ.પી એસ. ડબલ્યુ., વાંસોજ પ્રાથમિક શાળા ના પુર્વ આચાર્ય શ્રીમતી પુષ્પાબેન, એસએમસી સભ્યો આસપાસના સામાજિક આગેવાનો ગામના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

છેલ્લા 14 વર્ષથી ફરજ બજાવતા તેમની નીચે ભણેલા વિદ્યાર્થીઓની આંખો માં આંશુ વહી રહ્યા હતા આટલા વર્ષ વતનથી દૂર રહી અને વાંસોજ ગામને તેમની કર્મભૂમિ બનાવી ગામના વિદ્યાર્થીઓનું સંપૂર્ણ પણે એજ્યુકેશનમાં પ્લસ રહે એવી તકેદારી રાખી હતી

કોરોના સમયમાં તેમણે ઘરઘર સુધી તેમજ મોબાઇલ કનેક્ટિવિટી સાથે વિદ્યાર્થીઓને એજ્યુકેશનમાં ખૂબ જ મદદરૂપ થયા હતા શિક્ષક શ્રી દિલીપભાઈ ડાભી ગામમાંથી વિદાય થતા તેમની આંખમાં આંશુ અમી જોવા મળ્યા હતા .

રિપોટ આહીર કાળુભાઇ દીવ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

તળાજાના ટીમાણા ગામના ખેડૂત શ્રી કનુભાઈ ભટ્ટે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે અલગ કેડી કંડારી બન્યાં આત્મનિર્ભર

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરાવતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *