Breaking NewsPolitics

અમદાવાદના વાડજ પીઆઇની કલાકોમાં જ બદલી કેટલી યોગ્ય? સાચા તટસ્થ પીઆઇ રાઠવાનો લેવાયો રાજકીય ભોગ. : સંજીવ રાજપૂત

વાડજમાં લુખ્ખા તત્વો માટે સિંહ અને વિસ્તારમાં લોકો માટે શાંતિ અને સુલેહ સાથે નિષવાર્થ સેવાની મિસાલ સાબિત થયેલ પીઆઇ રાઠવાની માત્ર કલાકો માં જ કલોલના સ્વામીની કરફ્યુ દરમ્યાન ગાડી રોકવા બદલ તાત્કાલિક બદલી કરી દેવામાં આવી છે જે ખરેખર ખૂબ નિંદનીય વાત કહેવાય. માત્ર ગાડી રોકવા બદલ પોતાની વગ દેખાડી એક ઉચ્ચ અધિકારીને એકદમ રાજકીય દબાણ લાવી બદલી કરવી પોલીસ દ્વારા પોતાની તટસ્થ જવાબદારી નિભાવતા આવા અધિકારીઓ માટે આવો ત્વરિત નિર્ણય લેવો ખરેખર શોભનીય ના કહેવાય. પીઆઇ રાઠવા એ વાડજ વિસ્તારનો ચાર્જ સાંભળતા જ દારૂના બુટલેગરો લુખ્ખા તત્વો સામે લાલ આંખ કરી વાર તહેવારે વિસ્તારમાં થતા બેફામ અનૈતિક કામોને રોકી શાંતિનો અદભુત માહોલ બનાવ્યો હતો. કેટલાય લોકો તેમની બદલી થાય તેવું ઇચ્છતા હતા પરંતુ કામ બોલે જ તેવું જ કંઈક પીઆઇ રાઠવા દ્વારા કરી બતાવવામાં આવ્યું હતું એક તટસ્થ નિષવાર્થ નાનું હોય કે મોટું કાયદો સર્વે માટે એક જ સમાન છે તેને અનુસરી પુરા વાડજ વિસ્તારમાં શાંતિનું વાતાવરણ ઉભું કાર્યુ હતું આજે એકાએક રાજકીય વગ વાપરી તેમની બદલી કરી દેવામાં આવતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. આવા હજુ કેટલા અધિકારીઓનો ભોગ લેવાશે તે તો હવે કાઈ કહી શકાય નહીં. તમામ પોલીસ અધિકારીઓ પોલીસ કર્મીઓ માટે આ બનાવ કલંકરૂપ છે તેવું ચર્ચાઈ રહેલ છે. વર્ષોથી ખોટી રીતે રાજકીય દબાણથી અધિકારીઓ, કર્મીઓને દબાવવામાં આવી રહ્યા છે. પીઆઇ રાઠવાની કાર્યશેલીથી સૌ કોઈ વાકેફ જ છે એક સવાલ પોતાના હૃદય પર હાથ મૂકી પૂછજો આમ સાચા કામ માં સાચા હોવા છતાં તેમની એકાએક બદલી કરી નાખવી યોગ્ય છે?

સંજીવ રાજપૂત અમદાવાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૩ કિ.રૂ.૬૧,૭૩૮/-નાં મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.…

1 of 363

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *