Politics

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત દ્વારા આધુનિક ભારતના સ્વપ્ન દ્રષ્ટા, ભારત રત્ન પૂર્વ વડાપ્રધાનશ્રી સ્વ. રાજીવ ગાંધી ની ૭૬ મી જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ અર્પણ અને ફૂલહાર કરવામાં આવ્યા

સ્વ. રાજીવ ગાંધી ની ૭૬ મી જન્મજયંતી નિમિતે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના બાળકોને ભોજન કરાવવામાં આવ્યું.

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની યાદી જણાવે છે કે તા.૨૦ ઓગષ્ટ ૨૦૨૦ના રોજ આધુનિક ભારતના સ્વપ્ન દ્રષ્ટા, ભારત રત્ન પૂર્વ વડાપ્રધાનશ્રી સ્વ. રાજીવ ગાંધી ની ૭૬ મી જન્મજયંતી નિમિતે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ અને ફૂલહાર કરવામાં આવ્યા.
સ્વ. રાજીવ ગાંધી જન્મજયંતી એ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના દ્વારા પક્ષીઓને ઘઉં નું ચણ આપવામાં આવ્યું તેમજ બાળકોને ચોકલેટ વિતરણ કરવામાં આવી અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત આગેવાનીમાં સ્વ. રાજીવ ગાંધી ની ૭૬ મી જન્મજયંતી નિમિતે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના બાળકોને ભોજન કરાવવામાં આવ્યું.
મહેશભાઈ રાજપૂત દ્વારા કહેવામાં આવ્યું કે સ્વ. રાજીવ ગાંધી દેશભક્ત અને દૂરદર્શી વ્યક્તિ હતા અને જેમની દુરદેશી નીતિઓએ દેશના નિર્માણ માં મદદ કરી.
આ પ્રસંગે ઉપસ્થિત રાજકોટ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા પૂર્વ પ્રમુખ ડૉ.હેમાંગભાઈ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, પ્રદેશ આગેવાન પ્રદીપભાઈ ત્રિવેદી, દિનેશભાઈ મકવાણા, દિનેશભાઈ ચોવટિયા, ધરમભાઇ કામલીયા, નીદતભાઈ બારોટ, NSUI પ્રદેશ મહામંત્રી નિખીલભાઈ સવાણી, મુકેશભાઈ ચાવડા, રાજદીપસિંહ જાડેજા, દિપ્તીબેન સોલંકી, ફ્રન્ટલ સેલ પ્રમુખો રણજીતભાઈ મુંધવા, નરેશભાઈ સાગઠીયા, જીલ્લા NSUI પ્રમુખ રોહિતસિંહ રાજપૂત, યુનુસભાઈ જુણેજા, મનીષાબા વાળા, આશિષસિંહ વાઢેર, સંજય લાખાણી, વોર્ડ પ્રમુખ ગીરીશભાઈ ઘરસંડિયા, કોર્પોરેટરો દિલીપભાઈ આસવાણી, સંજયભાઈ અજુડિયા, નીલેશભાઈ મારું, પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મકવાણા, પૂર્વ ડેપ્યુટી મેયર મોહનભાઈ સોજીત્રા આગેવાનો માણસુરભાઈ વાળા, રજતભાઈ સંઘવી,પ્રવીણભાઈ સોરાણી, નારણભાઈ હીરપરા, કિશોરસિંહ જાડેજા, ઠાકરશીભાઇ ગજેરા, પ્રભાતભાઈ ડાંગર, રવી ડાંગર, ગોવિંદભાઈ અઘેરા, પ્રફુલાબા રાઠોડ, હિરલ રાઠોડ, જયાબેન ચૌહાણ, મુકેશ પરમાર, અભીભાઈ તલાટીયા, માનવ સોલંકી, વગેરે આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી ગોપાલ મોરવાડિયા ની અખબારી યાદી જણાવે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *