Politics

અમદાવાદ ખાતે “નરેન્દ્ર મોદી સે ખાસ રિસ્તા’’ નાં શિર્ષક હેઠળ શીખ સમાજનું સ્નેહમિલન યોજાયું.

અમદાવાદ: અમદાવાદ ખાતે સિખ ફાઉન્ડેશન ગુજરાતના અધ્યક્ષ પરમજીત કૌર છાબડા દ્વારા “નરેન્દ્ર મોદી સે ખાસ રિસ્તા’’ નાં શિર્ષક હેઠળ વિશાળ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં અમદાવાદ અને ગાંધીનગરનાં તમામ શીખ સંગતનાં ભાઇઓ અને બહેનોએ ઉપસ્થિત રહીને મોદીજીએ શીખ સમાજ માટે કરેલ કાર્યોને બિરદાવ્યા અને તેમને સમર્થન આપ્યું.

આ આયોજનમાં માન. શ્રી મનજીંદરસિંઘ સિરસાજી (માજી અધ્યક્ષ , દિલ્હી સિખ ગુરૂદ્વારા કમીટી), માન. શ્રી શંકર લાલવાનીજી (ધારાસભ્યશ્રી મ.પ્ર.), જસપ્રિતસિંઘજી (ચેરમેનશ્રી ધર્મ પ્રચાર કમીટી), રાજકુમાર વેરકાજી (માજી કેબીનેટ મંત્રીશ્રી પંજાબ) બબેકસિંઘ માતા જી (કોર્ડીનેટરશ્રી દિલ્હી ગુરૂદ્વારા કમિટી) તેમજ ગુરબિદરસિંઘજી (અધ્યક્ષશ્રી પંજાબી એકેડમી ઉ.પ્ર.)ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

આ સમસ્ત આયોજનની સફળતા અને સમસ્ત સિખ સંગત એકજુટ થઇ એક મત થાય એ વિચારઘારાને તમામ ભાઇઓ અને બહેનોએ સ્વીકારી, બિરદાવી અને અપનાવી જે બદલ તેમનો અને આ આયોજનને સફળ બનાવવમાં યોગદાન આપનાર તમામ અતિથિ વિશેષ, કાર્યકરો, આગેવાનોનો “સિખ ફાઉન્ડેશન – ગુજરાત’’ નાં અધ્યક્ષા દ્વારા સૌનો અંતઃહૃદય આભાર માનતા સમસ્ત શીખ સંગતમાં આવીજ એકતા જળવાઇ રહે અને તે સમસ્ત વિશ્વ માટે એક પ્રેરણારૂપ બની રહે તેવી અભિલાષા રાખવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *