Breaking NewsLatest

અમદાવાદના જમાલપુર વિસ્તારના રહીશો માટે આનંદના સમાચાર..શું? વાંચો..

અમદાવાદ: અમદાવાદના જમાલપુર વિસ્તારમાં સ્થાનિકોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ એક મહત્વની ઝુંબેશ ચલાવી હતી.

સ્થાનિકોને આવકના દાખલા કઢાવવા માટે જમાલપુર ચોરાથી તલાટીના સહિ-સિક્કા કરાવી ઈસનપુર ચોરા ખાતે આવકનું પ્રમાણપત્ર બનાવવા જવું પડતું હતું જેમાં સમયનો વ્યય થતો હતો. જે વાતને ધ્યાનમાં લેતા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની વારંવાર રજુઆત કરવાન‍‍ા કારણે હવેથી તે આવકનું પ્રમાણપત્ર બનાવવા માટે જમાલપુરની જનતાને ઈસનપુર ચોરા નહિં જવું પડે પરંતુ હવેથી અઠવાડિયામાં બે દિવસ સોમવાર અને ગુરુવાર જમાલપુર શાકમાર્કેટના ચોરા ખાતે જ તલાટીના સહિ-સિક્કા પણ થશે અને આવકનું પ્રમાણપત્ર બનાવવ‍ાની સમગ્ર પ્રક્રિયા હાથ ધરી આવકનું પ્રમાણપત્ર પણ લોકોને સરળતાથી મળી રહેશે .

આ સમાચાર વાયુવેગે જમાલપુરમાં ફેલાતા વિસ્તારના લોકોએ ઇમરાન ખેડાવાળાની કામગીરીને બિરદાવી છે અને આ સરાહનીય કાર્યની પ્રસંશા કરવામાં આવી રહી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *