Latest

ઉમરાળા આધ્યાત્મિક સાધના કેન્દ્ર ખાતે રકતદાન કેમ્પમાં 180 બોટલ બ્લડ એકત્રિત થયું

આધ્યાત્મિક સાધના કેન્દ્ર ઉમરાળા ખાતે ડાયમંડ સોશ્યલ ગૃપ ભાવનગર અને આધ્યાત્મિક સાધના કેન્દ્ર ઉમરાળા દ્વારા સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીના લાભાર્થે સતત ૧૧ મા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ આ કેમ્પમાં આખો દિવસ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સવારથી જ યુવાનોનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળ્યો હતો 4 વાગ્યા સુધીમાં કુલ 180 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતુ બ્લડ દાતાઓને સ્મૃતિભેટ સ્વરૂપે વિપુલભાઈ નાવડીયા તરફથી પાણીની બોટલ અને ટીફીન બોક્સ આપવામાં આવ્યા હતા આધ્યાત્મિક સાધના કેન્દ્રના અનેકાનેક સેવાકીય કાર્યોમાં એક સેવાનો ઉમેરો થયો હતો કાર્યક્રમનુ ઉદ્ઘાટન દડવા રાંદલના મહંત અક્ષયપરી બાપુ અને કોબડી ગૌશાળાના મહંત જયદેવશરણ બાપુ દ્વારા કરવામાં આવ્યું હતુ
કાર્યક્રમમાં જગદીશભાઈ ભીંગરાડીયા,પ્રતાપભાઈ આહિર, બાબુભાઇ લાખાણી, હરિશ્ચંદ્રસિંહ ગોહિલ,શૈલેષભાઈ મારુ,ભરતભાઈ ટાંક,જીતુભા વાળા,જસુભા વાળા,અશોકભાઈ આહીર,ભાવેશગિરી ગોસાઈ, રણધીરસિંહ ગોહિલ,મહેન્દ્રસિંહ ગોહિલ,હાજીભાઈ મહેતર, યુનુસભાઈ મુસાણી,પરેશભાઈ ટીંબી,પી.ડી.ગોહિલ,બુધાભાઈ સવાણી,હરિભાઈ નાવડીયા, ભરતભાઇ ડાંગર ,અશોકભાઈ કે. નાવડીયા,કરશનભાઇ મેપાણી, આનંદભાઈ સવાણી,વગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી


આ સેવાકાર્યને સફળ બનાવવા વિપુલભાઈ મહાદેવ,કેતનભાઈ ભીકડીયા,અજયભાઈ અણઘણ, વિનોદભાઈ સવાણી,વિનોદગીરી ગોસાઈ,રાજેશભાઇ સવાણી, હર્ષિલ સિદ્ધપુરા,મોઇન મુલતાની, ઘનશ્યામભાઈ અણઘણ,સાગર જાદવ,આરીફભાઈ ભાઈજાન, ઇરફાનભાઈ સૈયદ, પુષ્પરાજસિંહ ગોહિલ તેમજ બાપા સીતારામ મઢી ગૃપ,જય ભીમ ગૃપ વગેરેએ જહેમત ઉઠાવી હતી આધ્યાત્મિક સાધના કેન્દ્રના ધર્મેન્દ્રભાઈ દ્વારા સમગ્ર આયોજન સફળ રહ્યું હતુ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ

પાટણ: એ.આર,એબીએનએસ : રવિવાર સહિત તહેવારોની રજા મળી ત્રણેક દિવસ બાદ મંગળવારે શરૂ…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *