Breaking NewsLatest

અમદાવાદ ટ્રસ્ટ અને દાતા તરફથી આર ઓ પ્લાન્ટ અંબાજી મંદિર ને ભેટ અર્પણ

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. તાજેતરમાં દેવદિવાળી પર્વ સુખ સપન્ન રીતે પૂર્ણ થયો છે ત્યારે અંબાજી મંદિર ખાતે વિવિધ માઈ ભક્તો તરફથી અલગ અલગ દાન આપવામાં આવે છે ત્યારે તારીખ 21/11/2021 ના રોજ સાંજે અંબાજી શકિત પીઠ ખાતે દર્શનાર્થીઓને મંદિર પરિસર મા પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી તારીખ 21/11/2021 સોમવારે સાંજે પર્જન્ય સિદ્ધાર્થભાઈ દીક્ષિત પરિવાર તથા જોઈતારામ અંબારામ સંઘવી ટ્રસ્ટ દ્વારા પાન્ડા વોટર ટેન્ક અમદાવાદ નો આરઓ પ્લાન્ટ ભેટ સ્વરૂપે અપાયો હતો.
માઈ ભક્તો વર્ષોથી અંબાજી મુકામે માં અંબાની પૂજા અર્ચના કરવા આવી રહ્યા છે. અંબાજી ખાતે દૂરદૂર થી પ્રત્યેક દિવસ હજારો શ્રધ્ધાળુઓ પણ દર્શનનો લાભ લઈ રહ્યા છે. જેમાં મંદિરના ચાચર ચોકમાં પીવાના પાણીની વ્યવસ્થાના ભાગ રૂપે અંબાજી મંદિર પરિસરમા શ્રદ્ધાળુઓને પીવાનુ સ્વચ્છ પાણી મળી રહે તે માટે જ્ઞાતીબંધુ શ્રી પર્જન્યભાઈ સિધ્ધાર્થભાઈ દિક્ષીત તરફથી મા અંબાજીનાં પ્રાંગણમાં 500 લીટર પ્રતી કલાક ની ક્ષમતા વાળો આરઓ પ્લાન્ટ અર્પણ તા.22/11/2021 ના રોજ કરવામાં આવેલ અને આનુ અનાવરણ સૌ. નીકિતા પર્જન્ય દિક્ષીત, સૌ. દિગીષા અંકીત દિક્ષીત અને સૌ. રાધિકા નયન ઝા તરફથી કરવામાં આવ્યું હતું. આ અગાઉ પણ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર વડનગર, હાટકેશ્વર મહાદેવ મંદિર રાયપુર ચકલા અમદાવાદ અને માતાજી ની વાડી રાયપુરુ ચકલા અમદાવાદ મુકામે પણ આ વ્યવસ્થા તેઓ દ્વારા કરવામાં આવેલ છે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *