Breaking NewsLatest

ગબ્બર કાળ ભૈરવ મંદિર ખાતે ભૈરવ જયંતી નિમિત્તે હવન યોજવામાં આવ્યો

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. તાજેતરમાં દેવદિવાળી પર્વ સુખ સંપન્ન રીતે પૂર્ણ થયેલ છે અને ભક્તોનો પ્રવાહ હાલમાં પણ અંબાજી ખાતે આવી રહ્યા છે. 27 નવેમ્બર ના રોજ ભૈરવ જયંતી નિમિત્તે ગબ્બર ખાતે આવેલા પ્રાચીન અને પૌરાણિક ગબ્બર કાલભૈરવ મંદિર ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તોએ આ પ્રસંગે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.


અંબાજી થી ત્રણ કિલોમીટર દૂર ગબ્બર તળેટી ખાતે નિરંજની અખાડા નું પ્રાચીન અને પૌરાણિક ગબ્બર કાળભૈરવ મંદિર આવેલું છે ગબ્બર ખાતે આવેલા ભૈરવ મંદિરના દર્શન કર્યા બાદ જ માતાજીના દર્શન પુર્ણ થાય છે તેવી માન્યતા છે. 5 બ્રાહ્મણના હસ્તે યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. શાસ્ત્રોકત વીધી વિધાનથી હવનમાં આહુતિ આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ ભૈરવ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ભૈરવ જયંતિ નિમિત્તે ભૈરવ દાદા ને પ્રસાદનો ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો.

:- અંબાજી ખાતે વિવિધ ભૈરવ મંદિર આવેલા છે :-

શક્તિપીઠ અંબાજી ખાતે માનસરોવરમાં ભૈરવ મંદિર આવેલું છે આ મંદિરમાં રંગબેરંગી ફૂલોથી મંદિરને શણગારવામાં આવ્યું હતું અને ભૈરવ દાદા ને પ્રસાદ નો ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો.

અંબાજી મંદિરના 9 નંબર ગેટ પાસે પણ ભૈરવજીનું મંદિર આવેલું છે. વહેલી સવારથી ભકતો ભૈરવ દાદાના દર્શન કરવા માટે આવ્યા હતા. ભક્તો દ્વારા ભૈરવ દાદાને પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો હતો.અંબાજી મંદિર ના સાત નંબર ગેટ અંદર પણ ભૈરવ દાદા નું મંદિર આવેલું છે

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક…

રાજ્યપાલના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઉના અને સહજાનંદ ધામનું ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ કરાયું

ગીર સોમનાથ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગીર-સોમનાથ જિલ્લાના ઉના…

અત્યંત જટીલ સર્વાઇકલ સ્પાઇન સર્જરી સફળતાપૂર્ણ પૂર્ણ કરી દર્દીને નવજીવન બક્ષતા સ્પાઇન સર્જન ડૉ. જે.વી. મોદી

વિસનગર, સંજીવ રાજપૂત: અડેરણ તા. દાંતા ના વતની 60 વર્ષીય પ્રવીણભાઈ બાબુલાલ મોદીને…

1 of 667

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *