Breaking NewsLatest

સશસ્ત્ર સેના ધ્વજ દિને ફાળો અર્પણ કરતા અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે

અમદાવાદ: દેશની રક્ષા માટે પ્રાણ ન્યોચ્છાવર કરનારા વીર જવાનોના પરિવારોના કલ્યાણ માટે ફાળો આપી કૃતજ્ઞતા વ્યક્ત કરી.

અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેએ 7 ડિસેમ્બર, સશસ્ત્ર સેના ધ્વજ દિવસ નિમિત્તે ફાળો અર્પણ કરીને માતૃભૂમિની રક્ષા કરતા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત કાર્યક્રમ બાદ જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રતિભાવ આપતા કહ્યું કે, “સશસ્ત્ર સેના ધ્વજ દિવસ એ આપણા રાષ્ટ્રના વીર જવાનો અને તેમના પરિવારજનો સ્વમાનભેર જીવી શકે એ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે.”

જિલ્લા કલેક્ટરશ્રીએ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે પ્રજાને અપીલ કરતાં કહ્યું કે, “આપણે સૌ ઉદાર હ્રદયે યોગદાન આપીને આપણે રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કરવું જોઈએ”.

આ અવસરે જિલ્લા સૈનિક કલ્યાણના અધિકારી શ્રી પલકેશ ચૌધરી,ઓફિસ સુપ્રિટેન્ડેટન્ટ શ્રી કે.કે.પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *