Breaking NewsLatest

અરવલ્લી:મોડાસાના સાકરીયા પાસે નિર્માણાધીન તાલીમ ભવનમાં બાળ મજૂરોનો દુરઉપયોગ.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી ગુજરાત રાજ્ય જ નહીં પૂરા દેશમાં કુપોષણ અને બાળમજૂરી આજે પણ યથાવત છે વારંવાર આવા મામલાઓના સમાચાર સમાચાર માધ્યમોમાં આવતા હોય છે તેમ છતાં બાળ મજૂરીનું દૂષણ ડામવામાં સરકારી તંત્ર આજે પણ નિષ્ફળ રહ્યું છે. આવો જ એક મામલો અરવલ્લી જીલ્લામાં સામે આવતા લોક ચર્ચાએ જોર પકડયું છે. અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સાકરીયા ગામ પાસે નવા બની રહેલા સરકારી તાલીમ ભવનના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા બાળ મજૂરોનો ઉપયોગ થઈ રહ્યાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વાયરલ થયેલા વિડિયોમાં બાળ મજૂરો બાંધકામ સાઇટ ઉપર બાળમજૂરી કરતા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તો સવાલ એ થાય છે કે કોન્ટ્રાક્ટરની સાઈડ પર સુપરવિઝન કરતા સરકારી અધિકારીઓ અને સુપરવાઇઝર ને આ બાબત નજરે કેમ નહીં પડતી હોય કે, પછી તેમણે કોઈ અલગ પ્રકારના કાચના ચશ્મા ધારણ કરેલા છે કે શુ?? આખરે જે હોય તે પરંતુ સરકારી તંત્રએ હવે સફાળા જાગી આવા કોન્ટ્રાક્ટરો સામે સખત કાર્યવાહી કરવાનો સમય પાકી ગયો છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *