Breaking NewsLatest

રાષ્ટ્રવ્યાપી માઈક્રો ડોનેશન અભિયાનમાં જોડાવા સમર્થકોને અપીલ કરતું જામનગર ભાજપ સંગઠન

જામનગર: દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પ્રેરિત ભારતીય જનતા પાર્ટીના ‘માઈક્રો ડોનેશન અભિયાન’ માં કાર્યકરો ઉપરાંત સમર્થકોને પણ જોડાવા જામનગર મહાનગર ભાજપ સંગઠન દ્વારા અનુરોધ કરાયો છે.

વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતના વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ ભારતીય જનતા પક્ષ દ્વારા હાલ માઈક્રો ડોનેશન અભિયાન ચાલી રહ્યું છે.

ભારતમાં લોકપ્રિય વડાપ્રધાનશ્રી મોદીજીના નેતૃત્વ હેઠળ પક્ષની વિચારધારા અન્વયે દેશમાં તમામ ક્ષેત્રે સર્વસ્પર્શી તથા સર્વવ્યાપી વિકાસ થઈ રહ્યો છે. શાસકપક્ષ ભારતીય જનતા પાર્ટી પણ કાર્યકર્તાઓ તથા સમર્થકોના યોગદાનના આધારે નિષ્પક્ષ અને પારદર્શી રાજનૈતિક કાર્યો હાથ ધરી રહી છે. ઉપરાંત શ્રી મોદીજીના આહ્વાન થકી જ માઈક્રો ડોનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

દેશભરમાં તેનો પ્રારંભ ભારતરત્ન પૂર્વ વડાપ્રધાનશ્રી અટલબિહારી વાજપેયીજીના જન્મદિવસથી થયો છે. જે પક્ષના પ્રેરણાસ્રોત પંડિત દીનદયાળજીની પૂણ્યતિથિ એટલે કે તા. ૧૧/૦૨/૨૦૨૨ સુધી કાર્યરત રહેશે.

આ માઈક્રો ડોનેશન રૂપિયા ૫, ૫૦, ૧૦૦, ૫૦૦ કે ૧૦૦૦ એમ પાંચથી લઈ એક હજાર રૂપિયા સુધી સ્વૈચ્છિક છે અને તે ધનરાશિ “નમો એપ” થકી જ આપી શકાશે. જેની પ્રક્રિયામાં ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટિલજીનો રેફરન્સ કોડ GL3A67-F આપવાનો રહેશે.

ભાજપ પ્રદેશ કાર્યાલયના આગ્રહને રજૂ કરી શહેર પ્રમુખ ડૉ. વિમલભાઈ કગથરાએ જણાવ્યું છે કે, શહેરના પ્રત્યેક બુથ દીઠ ઓછામાં ઓછાં વીસ કાર્યકરો તેમજ સમર્થકો આ માઈક્રો ડોનેશન અભિયાનમાં જોડાઈ ને પોતાનું યોગદાન અર્પણ કરે. ઉપરાંત શહેર સંગઠનના મહામંત્રીઓ પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ સહિતના હોદ્દેદારોએ પણ ભારતના ગૌરવશાળી વડાપ્રધાનના આહવાનરૂપ આ અભિયાનને જ્વલંત સફળ બનાવી ગુજરાત રાજ્યના યોગદાનને દેશમાં પ્રથમ ક્રમે પહોંચાડવા અનુરોધ કર્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *