Breaking NewsLatest

અરવલ્લીઃભેટાલી ખાતે શાકભાજીમાંથી વિવિધ ખાદ્ય ચીજો બનાવવાની બે દિવસીય તાલીમ શિબિર યોજાઈ…

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભેટાલી ખાતે બાગાયત કચેરી દ્વારા મહિલાઓને ફળ અને શાકભાજીમાંથી વિવિધ પ્રકારની બનાવટો બનાવવા તથા શાકભાજી પરીક્ષણ અંગેનો બે દિવસીય તાલીમ કેમ્પ યોજાયો હતો…

બે દિવસીય યોજાયેલ શિબીર માં મહિલાઓને ફળ અને શાકભાજી પાકોમાંથી વિવિધ બનાવટો અંગે પ્રાયોગિક સમજ અને માર્ગદર્શન આપવા માં આવ્યું હતું.જેમાં ટામેટા કેચપ,મિક્ષ ફ્રુટ જામ,આદુ લીંબુનો સ્ક્વોશ,રોઝ શરબત,આમળાની કેન્ડી,આમળાનું અથાણું,જામફળનો સ્ક્વોશ, મરચાનું અથાણું,લીલી હળદરનું અથાણું,સફરજનની ચટણી,ટોપરાના લાડુ,ગાજ રનો હલવો,અનાનસનો સ્ક્વોશ,દાડમનો નેક્ટર અને દાડમ ની જેલી જેવી વિવિધ બનાવટોની તાલીમ આપવામાં આવી હતી…

બે દિવસીય યોજાયેલ તાલીમ શિબિરમાં ભેટાલી ગામની ૫૦ થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો.તાલીમને સફળ બનાવવા નાયબ બાગાયત નિયામકશ્રી બી.એ.કરપટિયાના માર્ગદર્શન હેઠળ બાગાય ત અધિકારીશ્રી એ.પી.પટેલ,બાગાયત નિરીક્ષકશ્રી જે.પી. સોલંકી,તાલીમ નિષ્ણાંત સ્મિતાબેન તથા કૈલાસબેન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત સાબરમતી ગુરુકુલમ્ ખાતે ‘આર્ય ઉત્સવ’ વાર્ષિક મહોત્સવ યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુકુળમાં…

1 of 713

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *