Latest

શ્રી કુબેર ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા મૃતક સભ્યના પરિવાર ને ચેક અર્પણ કરવામા આવ્યો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

સેવા નુ બીજુ નામ એટલે શ્રી કુબેર ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ ટ્રસ્ટ દ્વારા ચલાવવામા આવતી સેવાકીય પ્રવૃત્તિ ની મહેક સમગ્ર રાજકોટ સહિત આજુબાજુ ના પંથક મા મહેકી ઉઠી છે. કુબેર ચેરીટેબલ ટ્રસ્ટ મા હાલ ચારસો કરતા વધુ સભ્યો કાર્યરત છે જે સેવાકીય પ્રવૃતિ મા હર હંમેશ ખડેપગે હોય છે ત્યારે સભ્યો ને પણ આકસ્મિક દુખદ ધડી મા મદદરૂપ બની શકાય તે હેતુ થી ટ્રસ્ટ દ્વારા ગૃપ ના સભ્ય રમેશભાઈ મોહનભાઈ ગોડલીયા નુ દુખદ અવસાન થતા તેમના પરિવાર ને ચાલીસ હજાર આઠસો રુપિયા નો ચેક અર્પણ કરવામા આવ્યો હતો. ટીપે ટીપે સરોવર ભરાય એ ઉક્તિ ને સાબિત કરતા શ્રી કુબેર ચેરીટેબલ ટ્રસ્ટ ના તમામ 408 સભ્યો એ 100 રુપીયા ની વ્યકિતગત મદદ કરી પરિવાર ની દુખદ ધડી મા મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે .કોરોના કાળ નો વિકટ સમય હોય, વાવાઝોડા કે વરસાદ ની કુદરતી આપત્તિ હોય કે ધોમધખતી ગરમી હોય ત્યારે શ્રી કુબેર ચેરીટેબલ ટ્રસ્ટ હંમેશા પડછાયાની જેમ પીડીતો ની વહારે હોય છે. શિયાળા મા જરૂરિયાત મંદ પરિવારો ને ઠંડી થી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રો અને ઢાબળા પૂરા પાડવા , ભૂખ્યા ને અન્ન પહોચાડી માનવતા ની મહેક પ્રસરાવી રહ્યા છે , શ્રી કુબેર ચેરીટેબલ ટ્રસ્ટે બલ્ડ ડોનેશન કેમ્પો યોજી હજારો બોટલ બ્લડ એકત્ર કરી કોરોના કાળ મા બ્લડ બેન્કો ને સોપ્યુ હતુ. તદ ઉપરાંત થેલેસેમીયા કેમ્પ નુ પણ ખૂબ સુંદર આયોજન કરેલ હતુ. કોરોના ની પ્રથમ લહેર વખતે અંદાજે હજારો પરિવારો ને રાશન કીટ, શાકભાજી તેમજ જીવન જરુરીયાત ની ચીજવસ્તુઓ પૂરી પાડી માનવતા નુ ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ. સેવા નુ બીજુ નામ એટલે શ્રી કુબેર ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ કોરોના ની બીજી લહેર મા મૃત્યુ આંક વધતા ટ્રસ્ટે અગ્નિદાહ માટે લાકડા ની જરુરીયાત ઉભી થતા શહેર ના સ્થાન ગૃહો ને મસમોટી રકમ આપી લાકડા ની સેવા ઉપલબ્ધકરાવી હતી. ટ્રસ્ટ ના પ્રમુખ, મંત્રી તથા સૌ કારોબારી સભ્યો તન મન અને ધન થી સેવાકીય પ્રવૃતિ ને વેગ આપી રહ્યા છે. શ્રી કુબેર ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ પોતાની સેવાકીય પ્રવૃતિઓથી આગવી ઓળખ ઉભી કરી રહ્યુ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *