Latest

અંબાજી – ખાણ ખનીજ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૩ માં નવા પૂજારી ની નિમણૂક બાબતે અપાયેલ પત્ર અંગે આંખ આડા કાન કરતું દે…..

નવા પૂજારી ની નિમણૂક અંગે સરકાર દ્વારા વારંવાર જાણ છતાં કેમ કોઈ નવી નિમણૂક નહીં????

શું યાત્રાધામ વિકાસ બોર્ડના નવા પૂજારી ની નિમણૂક કરવા રસ ધરાવતું નથી?? કે પછી ભટ્ટજી મહારાજો નું અધિકારીઓ જોડે સેટિંગ???????????

છેલ્લા 3 વર્ષમાં નવા નીતિ નિયમો માં પણ વિધ્ન

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે વિવાદો નું કેન્દ્ર બનેલ માતાજી ની ગાદી ઉર્ફે ભટ્ટજી ની ગાદી નો વિવાદ ફક્ત પૂજા સુધી સીમિત હોત તો વાત ને સમજી શકાત પરંતુ અહીં વાત પૂજા ની આડ માં વારસાઈ હક દાવા ની છે જે બાબતે ગાદી સંચાલકો દ્વારા  મનમાની કરતા હોય તેવું લાગે છે જ્યારે દાંતા ના રાજપરિવાર નો વારસાઈ હક્ક ગુજરાત હાઇકોર્ટ દ્વારા રદ કરવામાં આવતો હોય તો ભટ્ટ જી મહારાજ કેમ નહીં.

એક જ પરિવાર ના ભાઈઓ માં વારા હક માટે સરકારી અધિકારી ને પણ ખોટા પેઢી નામા રજૂ કરી પોતાની વાત ને સિદ્ધ કરવા ના પેંતરા રચાય છે ત્યારે જો એક જ કુટુંબ ના સભ્યો માં એક બીજા માટે આટલો વેર ભાવ હોય ત્યાં લાલચ અને સ્વાર્થ કેટલા ઊંડા પેઠા હશે તે વિચારશીલ બાબત છે.ત્યારે આ બધા માં અંબાજી મંદિર ટ્રસ્ટ ના અધિકારીઓ ની આંખ આડા કાન કરવાની રીત કે પછી અંદરખાને બધું સેટિંગ તે સ્થિતિ અસમંજસ ઊભી કરે છે કે  ગુજરાત હાઇકોર્ટે  ના વર્ષ ૨૦૦૬ ના ચુકાદા બાદ કેટલાય વર્ષો સુધી નવા પૂજારી ની નિમણૂક બાબતે મંદિર ટ્રસ્ટ નું તંત્ર આટલું ઉદાસીન છે ? કે પછી બધું બંધ બારણે સેટિંગ ને લીધે બેક ડોર માં અંદરોઅંદર ગોઠવણ કરી ભીનું સંકેલી લેવાય છે ?

વાત જાણે એમ છે કેમ કે વર્ષ ૨૦૦૬ ના હાઈ કોર્ટ ના હુકમ ના ઘણા વર્ષો બાદ પણ નવા પૂજારી ની નિમણૂક નહીં કરાતા ,સરકાર ના ખાણ ખનીજ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૩ ના ૨૪ જાન્યુઆરી ના  રોજ અગાઉ ના હુકમ અનુસંધાને નહીં કરાયેલ નિમણૂક અંગે રિમાઇન્ડર પત્ર આપી નહીં થયેલ કાર્યવાહી બાબતે તાત્કાલિક ક્લોઝ 39 મુજબ કાર્યવાહી કરી યોગ્ય લાયકાત વાળા નવા પૂજારી ની નિમણૂક અંગે નિયમ બનાવી સરકાર શ્રી રજૂ કરવા જણાવેલ હતુ તેમ છતાં આજ દિન સુધી પવિત્ર યાત્રાધામ અંબાજી દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ નથી? ત્યારે શું મંદિર ટ્રસ્ટ ના અધિકારીઓ અને ગાદી સંચાલકો વચ્ચે આ બાબતે અંદર ખાને કઈ લેવડ દેવડ કરી ને બધું બાજુ પર મૂકાયું છે ? આવા તમામ સવાલો વચ્ચે અટવાતી અને ઢીલી મૂકતી નવા પૂજારી ની નિમણૂક મંદિર ટ્રસ્ટ ના અધિકારીઓ અને ગાદી સંચાલકો વચ્ચે ની સાંઠગાંઠ જાહેર કરે છે જે બાબતે કલેક્ટર શ્રી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરાવી ઝડપી ધોરણે નવા પૂજારી ની નિમણૂક કરી ગાદી સંચાલકો નો વારસાઈ અને હક ઇજારો બંધ કરી નિષ્પક્ષતા લવાઈ જોઈએ તેવી લોક મુખે ચર્ચા એ જોર પકડ્યું છે….

ખાણ ખનીજ વિભાગ 2023 ના  પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ નેઆપવામાં આવેલી  લેટર માં સ્પષ્ટ છે કે  અંબાજી માતા મંદિરના વહીવટ માટે સરકાર શ્રી દ્વારા બનાવાયેલ સ્કીમ કલોઝ 39 મુજબ યોગ્ય લાયકાત ધરાવતા પુજારી ની નિમણૂક કરવા અંગેના નિયમો તાત્કાલિક બનાવવા અને સરકાર શ્રી મંજુરી અર્થે રજુ કરવામાં આવ્યું છે પણ 3 વર્ષ માં પણ નવા નિયમો બનાવવામાં પણ કયા કયા ગ્રહો  નડે છે તે ખબર નથી પડતી કે પછી બધા ગ્રહ ગાદી પર  થી સંચાલક થાયછે કે  શું???

રિપોર્ટર… અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *