Latest

શ્રી શામળભાઈ પટેલની નેશનલ કો ઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઈન્ડિયા(NCDFI)ના ડિરેક્ટર પદે નિમણૂક

શ્રી શામળભાઈ પટેલ, ચેરમેન-અમૂલ ફેડરેશન,ચેરમેન-સાબર ડેરી અને ડિરેક્ટર-નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ(NDDB),આણંદની રાષ્ટ્રીય કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન(NCDFI) ના બોર્ડ પર સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે


કપિલ પટેલ દ્વારા અરવલ્લી
આજ તા.૨૪.૦૨.૨૦૨૨ ના રોજ થયેલ NCDFI બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચુંટણીમાં ગુજરાત ફેડરેશનના પ્રતિનિધિ તરીકે તેઓ સર્વાનુમતે ચૂંટાયા છે.


તેઓનો સહકારી ડેરી વ્યવસાયનો બહોળો અનુભવ આ નવી નિમણૂકથી સમગ્ર ભારતના ડેરી ઉધ્યોગને એક નવી દિશા આપશે અને તેઓનું માર્ગદર્શન ડેરી વ્યવસાય સાથે જોડાયેલા લાખો દૂધ ઉત્પાદકો અને સહકારી સંસ્થાઓના વિકાસ માટે ચોક્કસ લાભદાયી પુરવાર થશે

આ પ્રસંગે શામળભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલ નિવેદન મુજબ તેઓની નેશનલ કો ઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઈન્ડિયા(NCDFI)ના ડિરેક્ટર પદે સર્વાનુમતે નિમણૂક કરવા બદલ યશસ્વી લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી,ગુજરાતના સપૂત અને કેન્દ્ર સરકારમાં ગૃહ પ્રધાન અને સહકારિતા મંત્રી શ્રી અમીતભાઇ શાહજી,ગુજરાત ભા.જ.પા.પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પાટીલ,ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ,એનડીડીબીના ચેરમેનશ્રી તથા તમામ સ્ટેટ ડેરી ફેડરેશનના ચેરમેનશ્રીઓ અને સહકારી આગેવાનોએ તેઓ ઉપર વિશ્વાસ મૂકી સમગ્ર ભારતના લાખો દૂધ ઉત્પાદકોના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે સેવા કરવાની તક આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
NCDFI દેશના ૨૦ સહકારી ડેરી ફેડરેશન અને સહકારી તેલીબિયા ફેડરેશનની ટોચની એપેક્ષ સહકારી સંસ્થા છે અને ગુજરાતના અમૂલ ફેડરેશનની જેમ

કર્ણાટક, તામિલનાડું, પંજાબ,હરિયાણા,મહારાષ્ટ્ર,ઉત્તર પ્રદેશ,બંગાળ,ઓરીસ્સા અને સિક્કિમ જેવા દરેક રાજ્યના ડેરી ફેડરેશન તેના સભ્ય છે

NCDFI મુખ્યત્વે ૧૦૦ થી વધુ દૂધ સંઘો થકી ભારતીય સેના અને દેશના સંરક્ષણ દળોને દૂધ અને દૂધની બનાવટો પૂરી પાડે છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *