Breaking NewsLatest

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના માખણીયા ગામનો યુવાન ઇન્ડિયન નેવીની ટ્રેનિંગ પુરી કરી વતન આવતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

ભારતીય લશ્કરમાં કાર્ય કરવું તે સન્માનની વાત છે. ગુજરાતીઓ ભારતીય લશ્કરમાં ખૂબ ઓછા છે તેવાં સમયે ભાવનગરના તળાજા તાલુકાના માખણીયા ગામનો યુવાન ઇન્ડિયન નેવીની તાલીમપૂર્ણ કરીને પરત પોતાના માદરે વતન આવેલાં મકવાણા સચિન છગનભાઈનું ગ્રામજનો દ્વારા અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું.

શ્રી સચિનનું ગામલોકોએ તળાજા રોયલ ચોકડી થી ડી.જે. ના તાલ સાથે ભારત માતા કી જયના જયકારા અને બાઈક રેલી સાથે માખણીયા ગામના હનુમાન દાદાના દર્શન કરાવી માખણીયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ સચિનને તેમના માતા પિતાને તિલક કરી ઘર પરિવાર દ્વારા સામૈયા કરીને વાજતે- ગાજતે માખણીયા ગામના ચોકમાં શોભાયાત્રા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ

માખણીયા ગામમાં લોકો ખુશીના માહોલ સાથે ઝૂમી ઉઠ્યાં હતાં. ભારત માતાના પનોતા પુત્ર એવાં મકવાણા સચિનભાઈના સ્વાગત તળાજાથી માખણીયા આવતાં રસ્તામાં આવતાં તમામ મદિરોએ શ્રીફળ વધેર્યું હતું.

ગામમાં પ્રવેશતા પ્રાથમિક શાળા આવતા પોતાનો અભ્યાસ ત્યાં કરેલ જ્યારે સમગ્ર શિક્ષકગણ તેમજ ગામના આગેવાનોએ ત્યાં તેઓનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું.

ઘેર પહોંચતા પુત્રને માતા દ્વારા પોખવામાં આવ્યા હતા અને ત્યાર બાદ બહેનો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી

ગામમાં પ્રથમ યુવાન નેવીની ટ્રેનીંગ પૂર્ણ કરી આવતાં ગામના યુવાનોને પણ પ્રેરણા મળે તે માટે સચિનના પિતા છગનભાઈ દ્વારા ડી.જે. સાથે સ્વાગત કર્યું હતું. ઘેર પહોંચતા લોકોને પેંડા ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું.

આમ, નાના એવાં ગામની આ સામાન્ય ઘટના છે. પરંતુ માં ભારતીની રક્ષા કાજે જ્યારે ગામનો તરવરિયો યુવાન જવાનો હોય ત્યારે તેના વતનમાં આવવાના હરખના તેડાં થવાં જ જોઇએ.. તેનાથી ગામના યુવાનોને તો પ્રેરણા મળશે જ પરંતુ રાજ્યના યુવાનો પણ મા ભારતીની સેવા માટે આગળ આવશે.
——–
– સુનિલ પટેલ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *