Breaking NewsLatest

૭માર્ચ અને ૮માર્ચે અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગની દ્વારા આગામી બે દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તા.૦૭ માર્ચ ૨૦૨૨ અને ૦૮ માર્ચ ૨૦૨૨ દરમિયાન અરવલ્લી જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં  છૂટા છવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે. જે ધ્યાને લઇ હવામાન વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતોએ કાળજી રાખવાનું જણાવામાં આવ્યું છે
જિલ્લામાં હાલમાં ઘઉ, ચણા, તમાકુ તેમજ દિવેલાનો પાક તૈયાર થયેલ હોય તો હાલ પુરતુ કાપણી ટાળવી. જો કાપણી થઇ ગઇ હોય તો તાડપત્રી ઢાંકીને રાખવી. ખેડૂતોએ પોતાનો  ઉત્પાદિત થયેલ ખેત પેદાસને સલામત સ્થળે  ગોડાઉનમાં રાખવા અથવા તાડપત્રીથી ઢાંકીને રાખવી અને તાડપત્રી હાથવગે રાખી પોતાની ખેત પેદાસને વેચાણ અર્થે એપીએમસીમાં લઇ જતી વખતે ખેત જણસીઓ તાડપત્રી ઢાંકીને લઇ જવી. જિલ્લામાં બે દિવસ વરસાદી ઝાપટા પડવાની આગાહી છે  તેવા સમયે વેચાણ શક્ય હોય તો ટાળવું અને એપીએમસીમાં રહેલ ખેત જણસીઓ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા માટે  વેપારી મિત્રોને જણાવામાં આવ્યું. હવામાન વિભાગ દ્વારા જણાવામાં આવ્યું કે જે ખેડૂતો બાગાયતી ખેતી કરે છે તેમને પણ પોતાનો પાક ઉપર કાળજી લેવી બાગાયતી અને શાકભાજીના વગેરે પાક તૈયાર હોય તો તુરંત ઉતારી લેવાનું હવામાન વિભાગ દ્વારા જણાવામાં આવ્યું છે.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *