Breaking NewsLatest

અરવલ્લીઃબ્રોડગેજ રેલવે લાઇન માટે સંપાદિત થતી જમીનનું ખેડૂતોને યોગ્ય બજાર કિંમતે વળતર મળવું જોઈએઃકિસાન સંઘ*

કૃષિ પ્રધાન દેશમાં વિકાસ તો થવો જોઇએ તેમાં અમે સાથે છીએ પરંતુ ખેડુતો ના ભોગે તો નહિજ   ભારતીય કિસાન સંઘ અરવલ્લી
ભારતીય કિસાન સંઘ અરવલ્લી મોડાસા આક્રોશ વ્યકત કરે છે..

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

મોડાસા તાલુકામાં હાલ મોડાસા શામળાજી બ્રોડગેજ રેલ્વે લાઈન માટે  જમીનો સંપાદિત કરતાં કોલીખડ, પહાડપુર, સબલપુર, બાજકોટ, ગાજણ ,વગોડિયા, જીતપુર ,મોટી ઇસરોલ , નાની ઇસરોલ, જીવણપુર, બોલુન્દ્રા, બામણવાડ,ટિંટોઈ સુધીના ગામો માં જમીન સંપાદન કરવાની કામગીરી ચાલે છે.તેમાં જમીનની હાલની બજાર કિંમત કરતાં નીચા એવોર્ડ જાહેર કરવામાં આવ્યા છે.
આ બાબતે ભલાભોળા ખેડૂતો ને આપઘાત કરવાનો વારો આવશે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.!! જેટલી જમીન રેલ્વે માં જાય છે તેટલી જ બાકી રહેતી જમીન ખેતી માટે બિન ઉપયોગી થઇ જાય છે ત્રાસી કપાવાથી,રેલ્વે પાટા ની પેલી બાજુ રહેલી જમીન માં જવાના રસ્તા મળતા નથી,રેલ્વે નીકળવાથી બાકી રહેલી  જમીન ની માર્કેટ વેલ્યું પણ ઘટી જાય છે. વળતર નકકી કરવામાં આ બધી બાબતો ધ્યાન માં લેવી જોઈએ.કૃષિ પ્રધાન દેશમાં વિકાસ તો થવો જોઇએ તેમાં અમે સાથે છીએ પરંતુ ખેડુતો ના ભોગે તો નહિજ.
ખેડૂતો ના બેલી કોણ છે ???
જે ખેડૂતો ની મુસીબત સમજી શકે!!!!
ખેડૂતોની મહામૂલી બાપદાદા ની વસાવેલી જમીન જેનાપર આખો પરીવાર પેઢી દરપેઢીથી જીવન ગુજરાન ચલાવે છે.એવી ખેડૂતો ની જમીન માતાને પાણીના ભાવે લઈ લેવામાં આવે છે તે ઘણી દુઃખદ ઘટના છે.
આપણે કોઈ ને નોકરી આપી નથી શકતા તો કમ સે કમ તેની રોઝી રોટી છીનવાય નહીં તેનો ખ્યાલ રાખવો જોઇએ, ખેડૂતો ને સન્માનીય વળતર મળવું જોઇએ આપનાર અને લેનાર બંને ખુશ હોવા જોઈએ. ગણા લૉકો કહે છે કોર્ટ તમારા માટે ખુલ્લી છે, પણ જાણી જોઈને ભલા ભોળા ખેડૂતોને કોર્ટમાં મોકલવા તે પણ ગુનો બનેછે. આ બાબતે ભારતીય કિસાન સંઘના પ્રમુખ  ગજાનંદભાઈ પટેલ દ્વારા ખેડુતો ને ન્યાય મળે તે માટે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

જેટલી જમીન રેલ્વેમાં જાય છે તેટલી જ બાકી રહેતી જમીન ખેતી માટે બિન ઉપયોગી થઇ જાય છે ત્રાસી કપાવાથી,રેલ્વે પાટાની પેલી બાજુ રહેલી જમીનમાં જવાના રસ્તા મળતા નથી,રેલ્વે નીકળવાથી બાકી રહેલી  જમીનની માર્કેટ વેલ્યું પણ ઘટી જાય છે. વળતર નકકી કરવામાં આ બધી બાબતો ધ્યાન માં લેવી જોઈએ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *