Breaking NewsLatest

અરવલ્લીઃબ્રોડગેજ રેલવે લાઇન માટે સંપાદિત થતી જમીનનું ખેડૂતોને યોગ્ય બજાર કિંમતે વળતર મળવું જોઈએઃકિસાન સંઘ*

કૃષિ પ્રધાન દેશમાં વિકાસ તો થવો જોઇએ તેમાં અમે સાથે છીએ પરંતુ ખેડુતો ના ભોગે તો નહિજ   ભારતીય કિસાન સંઘ અરવલ્લી
ભારતીય કિસાન સંઘ અરવલ્લી મોડાસા આક્રોશ વ્યકત કરે છે..

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

મોડાસા તાલુકામાં હાલ મોડાસા શામળાજી બ્રોડગેજ રેલ્વે લાઈન માટે  જમીનો સંપાદિત કરતાં કોલીખડ, પહાડપુર, સબલપુર, બાજકોટ, ગાજણ ,વગોડિયા, જીતપુર ,મોટી ઇસરોલ , નાની ઇસરોલ, જીવણપુર, બોલુન્દ્રા, બામણવાડ,ટિંટોઈ સુધીના ગામો માં જમીન સંપાદન કરવાની કામગીરી ચાલે છે.તેમાં જમીનની હાલની બજાર કિંમત કરતાં નીચા એવોર્ડ જાહેર કરવામાં આવ્યા છે.
આ બાબતે ભલાભોળા ખેડૂતો ને આપઘાત કરવાનો વારો આવશે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.!! જેટલી જમીન રેલ્વે માં જાય છે તેટલી જ બાકી રહેતી જમીન ખેતી માટે બિન ઉપયોગી થઇ જાય છે ત્રાસી કપાવાથી,રેલ્વે પાટા ની પેલી બાજુ રહેલી જમીન માં જવાના રસ્તા મળતા નથી,રેલ્વે નીકળવાથી બાકી રહેલી  જમીન ની માર્કેટ વેલ્યું પણ ઘટી જાય છે. વળતર નકકી કરવામાં આ બધી બાબતો ધ્યાન માં લેવી જોઈએ.કૃષિ પ્રધાન દેશમાં વિકાસ તો થવો જોઇએ તેમાં અમે સાથે છીએ પરંતુ ખેડુતો ના ભોગે તો નહિજ.
ખેડૂતો ના બેલી કોણ છે ???
જે ખેડૂતો ની મુસીબત સમજી શકે!!!!
ખેડૂતોની મહામૂલી બાપદાદા ની વસાવેલી જમીન જેનાપર આખો પરીવાર પેઢી દરપેઢીથી જીવન ગુજરાન ચલાવે છે.એવી ખેડૂતો ની જમીન માતાને પાણીના ભાવે લઈ લેવામાં આવે છે તે ઘણી દુઃખદ ઘટના છે.
આપણે કોઈ ને નોકરી આપી નથી શકતા તો કમ સે કમ તેની રોઝી રોટી છીનવાય નહીં તેનો ખ્યાલ રાખવો જોઇએ, ખેડૂતો ને સન્માનીય વળતર મળવું જોઇએ આપનાર અને લેનાર બંને ખુશ હોવા જોઈએ. ગણા લૉકો કહે છે કોર્ટ તમારા માટે ખુલ્લી છે, પણ જાણી જોઈને ભલા ભોળા ખેડૂતોને કોર્ટમાં મોકલવા તે પણ ગુનો બનેછે. આ બાબતે ભારતીય કિસાન સંઘના પ્રમુખ  ગજાનંદભાઈ પટેલ દ્વારા ખેડુતો ને ન્યાય મળે તે માટે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

જેટલી જમીન રેલ્વેમાં જાય છે તેટલી જ બાકી રહેતી જમીન ખેતી માટે બિન ઉપયોગી થઇ જાય છે ત્રાસી કપાવાથી,રેલ્વે પાટાની પેલી બાજુ રહેલી જમીનમાં જવાના રસ્તા મળતા નથી,રેલ્વે નીકળવાથી બાકી રહેલી  જમીનની માર્કેટ વેલ્યું પણ ઘટી જાય છે. વળતર નકકી કરવામાં આ બધી બાબતો ધ્યાન માં લેવી જોઈએ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 708

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *