Breaking NewsLatest

ધોળે દિવસે સ્ટ્રીટલાઈટ ચાલુ રાખી નાહકનું બિલ વધાર્યું

વલ્લભીપુર પાલિકાની ઘોર બેદરકારીનો પ્રજાને ‘કરંટ’

વલ્લભીપુર :

તાજેતરમાં પીજીવીસીએલએ વલ્લભીપુર પાલિકાની સ્ટ્રીટ લાઈટના 7 મુખ્ય કનેક્શન બિલ ન ભરવાને કારણે કટ્ટ કર્યા હતા. 12,70,000 રૂપિયાનું બાકી બિલ ન ભરવાથી કટ્ટ થયેલા કનેક્શન થોડી ઘણી રકમનો ચેક આપી પુનઃ શરૂ કરાયા હતા. ત્યારે વીજળી વપરાશમાં કરકસર કરવાને બદલે નગરપાલિકાએ ધોળા દિવસે સ્ટ્રીટ લાઈટ ચાલુ રાખી ઘોર બેદરકારી દાખવતા લોકોમાં રોષ વ્યાપ્યો છે.

વલ્લભીપુર નગરપાલિકા પીજીવીસીએલનું મસમોટું બિલ ભરવામાં નિષ્ફળ રહેતા વીજળી કંપનીએ શરમ મૂકીને સ્ટ્રીટ લાઈટના 7 કનેક્શન તાજેતરમાં કાપી નાંખ્યા હતા. આથી શહેરમાં અંધારપટ્ટ છવાયો હતો. પુરી રકમનું બિલ ભરવાની આર્થિક સ્થિતિમાં ન હોવાથી પાલિકાએ પાર્ટ પેમેન્ટનો ચેક આપી કનેક્શન પૂર્વવત કરાવ્યા હતા. હાલ ઉનાળો ચાલી રહ્યો હોય દિવસ વહેલો ઉગતો હોવાથી મોડામાં મોડું સવારે 5:15 વાગ્યા બાદ સ્ટ્રીટલાઈટ બંધ થઈ જવી જોઈએ. તેના બદલે સવારે 8:30 કે ઘણીવાર ત્યાર પછી પણ સ્ટ્રીટલાઈટ ચાલુ રાખી દેવામાં આવતી હોવાનું જાગૃત નાગરિકોના ધ્યાને આવતા આ બાબતે જે તે વિભાગનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. એક તરફ પાલિકા વીજળીનું બિલ ભરવા સક્ષમ નથી ત્યારે વીજળીનો દુર્વ્યવય થઈ રહ્યો છે. આ માટે જવાબદાર કર્મચારીઓ સામે દંડનાત્મક પગલાં ભરાવવા જોઈએ એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

એહવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *