Breaking NewsLatest

જામનગર મેયરની ઉપસ્થિતિમાં ‘કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ અંગે માર્ગદર્શન સેમીનાર યોજાયો

જામનગર: મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગર અને જામનગર મહાનગર પાલીકાના સંયુક્ત ઉપક્રમે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (પ્રતિબંધ અટકાવ અને નિયંત્રણ) અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કાયદાકીય જાગૃતી સેમીનારનું આયોજન શહેરના એમ.પી.શાહ ટાઉન હોલ ખાતે કરવામાં આવેલ હતુ.

જેમાં જામનગર મહાનગરપાલીકાના મેયર શ્રીમતી બીનાબેન કોઠારીએ મહિલાઓને સ્વમાનભેર જીવન જીવવા અને પોતાના પરિવારને આગળ લાવવા મહિલાઓ આજે બહાર આવી છે અને ઘણી વખત મુશ્કેલીઓ અનુભવતી હોય છે કે ફરીયાદ કરવી કે કેમ?તો એવા સંજોગોમાં ચોક્કસપણે આગળ આવી અવાજ ઉઠાવવા સમજાવી પ્રોત્સાહિત કર્યા હતાં.

આ સેમીનારમાં જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશ્નરશ્રી એ.કે. વસ્તાણી દ્રારા કામકાજના સ્થળે મહિલાઓને સુરક્ષિત વાતાવરણ મળી રહે અને જો કોઇ મહિલા કર્મચારીને કોઇપણ પ્રકારની મુશકેલી હોય તો તે ફરીયાદ કરી શકે તે હેતુથી જામનગર મહાનગરપાલિકા દ્રારા આંતરીક ફરિયાદ સમિતિની રચના કરવામાં આવેલ છે.જિલ્લા કાનુની સેવા સત્તા મંડળમાંથી પધારેલ વકિલશ્રી શીતલબેન ખેતીયા દ્રારા મહિલા સુરક્ષા સંબંધી વિવિધ કાયદાઓ અને મફત કાનુની સહાય વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત મહિલાઓના અધિકારો અને મહિલા સુરક્ષા સંબંધી વિવિધ યોજનાઓ જેવી કે સખી-વન સ્ટોપ સેન્ટર, ૧૮૧-અભયમ હેલ્પ લાઇન, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર વગેરે અંગે વિસ્તૃત માહિતી મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ દ્રારા આપવામાં આવી હતી.


આ સેમીનારમાં જામનગર મહાનગર પાલિકા શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો.ચંદ્રેશ ભાંભી, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી ગામ્ય/શહેર- સુશ્રી એચ.બી. ટાઢાણી અને સુશ્રી એસ.એન. વર્ણાગર, બાળ વિકાસ યોજના અધિકારી હર્ષાબેન જેઠવા અને ઝરણાબેન પંડ્યા તથા બહોળી સંખ્યામાં જામનગર મહાનગર પાલિકાના મહિલા કર્મચારીઓ હાજર રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 707

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *