Latest

ક્યાં રહી અધૂરી કેનાલ વધું વિગતો વાંચો

વલ્લભીપુર

2017માં કામ પડતું મુકાયું
પાણીના વાંકે ફરી કરવું પડ્યું વાવેતર
કપાસનું વાવેતર બળી ગયું
લિંક ન મળવાથી પાણી નથી છોડતું
પાણી વગરની કેનાલમાં પડ્યા ગાબડા

વલ્લભીપુર વિસ્તારમાં માઇનોર કેનાલનું કામ અધૂરું છોડી દેવાતા્ છેલ્લા પાંચ વર્ષથી તૈયાર થયેલી કેનાલ સૂકી ભઠ્ઠ પડી છે જેના કારણે વલભીપુર વિસ્તારમાં પાણીના અભાવે કપાસિયાનું બિયારણ બળી જતા ખેડૂતોને નવેસરથી કપાસ છોપવાનો વારો આવ્યો છે આ અંગે વલભીપુરના પત્રકાર ધર્મેન્દ્રસિંહ સોલંકી સંબંધિત અધિકારીઓ અને ગ્રામજનોની મુલાકાત લઇ વાસ્તવિકતાનો ક્યાસ મેળવવા પ્રયાસ કર્યો હતો.

વલ્લભીપુર શહેરની આસપાસના ગામડાઓમાં નર્મદાની માઇનોર કેનાલનું કામ 2017ના વર્ષ બાદ અધૂરું છોડી દેવાતા આ વિસ્તારોના ખેડૂતો દર વર્ષે ધારણા અનુસારનો પાક લઈ શકતા નથી. જ્યાં સુધી કેનાલ બની છે ત્યાંથી આગળની લિંક નહિ મળતા પાંચ વર્ષથી બની ચુકેલી કેનાલમાં હજુ સુધી એકવાર પણ પાણી છોડવામાં આવ્યું નથી. સુક્કો પ્રદેશ હોવાથી અને ભેજનું પ્રમાણ નહીંવત હોવાથી આ કેનાલમાં ગાબડા પડી ગયા છે. ક્યારેક ભારે વરસાદને લઈને આ કેનાલમાં પાણી આવી જાય છે ત્યારે ગાબડા પડેલી કેનાલનું પાણી ખેતરમાં ઘુસી જવાથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થાય છે.

અહેવાલ
ધર્મેન્દ્રસિંહ સોલંકી, વલ્લભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *