Latest

અકસ્માત મૃત્યુમાં 20 લાખનો વીમો ચૂકવતી વલભીપુર SBI

 

વલ્લભીપુર:
વલભીપુર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેનો 67મો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. બે વર્ષ પૂર્વે અકસ્માતમાં મૃત્યુ પામેલા શિક્ષકના પરિવારને 20 લાખના અકસ્માત વીમા રાશિનો ચેક અર્પણ કરાયો હતો.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના 67માં જન્મદિવસ નિમિત્તે એક શિક્ષકના પરિવારને 20 લાખ રૂપિયાની વીમા રાશિનો ચેક બેંકમાં આમંત્રણ આપીને અર્પણ કરવામાં આવ્યો હતો. વલભીપુર તાલુકાના નવાગામ ગાયકવાડી ગામે રહેતા અરુણ ભારથી શંભુભારથી ગોસ્વામીનું બે વર્ષ અગાઉ પાટણા નજીક અકસ્માતમાં સ્થળ પર જ મૃત્યુ થયું હતું. વ્યવસાયે શિક્ષક એવા અરુણભારથીએ એસબીઆઇ બ્રાન્ચમાં 1000 રૂપિયાનો વીમો ઉતરાવ્યો હતો ત્યારે તેના પરિવાર તેમજ મૃતકની પત્નીને એસબીઆઈએ નિમંત્રીને રૂપિયા 20 લાખનો ચેક આપવામાં આવ્યો હતો.


વલ્લભીપુર એસ.બી.આઈ.ના મેનેજરે તમામ લોકોને વીમાનું સુરક્ષા કવચ લેવા આ તકે અપીલ કરી હતી.

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ

પાટણ: એ.આર,એબીએનએસ : રવિવાર સહિત તહેવારોની રજા મળી ત્રણેક દિવસ બાદ મંગળવારે શરૂ…

રાધનપુરના અરજણસર ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીની મનમાની આવી સામે..લોકો ધક્કા ખાવા બન્યા મજબૂર…

પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમા…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *