Latest

વલભીપુર અને ઉમરાળા તાલુકા પત્રકાર એકતા પરીષદ દ્વારા સલીમભાઈ ને વૃક્ષારોપણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

વલભીપુર પોલીસ સ્ટેશન ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભાવનગર જિલ્લાના વલભીપુર અને ઉમરાળા તાલુકાના પત્રકારો દ્વારા ગુજરાત પત્રકાર એકતા પરિષદ ના પ્રેરણા સ્ત્રોત્ર સ્વ.સલીમભાઈ બાવાણી ની બીજી પૂર્ણતિથિ નિમિતે સમગ્ર ગુજરાતમાં 33 જિલ્લા અને 252 તાલુકામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો અમારા પત્રકાર એકતા પરિષદના પ્રેરણા સ્તોત્ર અને વરિષ્ઠ પત્રકાર સલીમભાઈ બાવાણી એ વિદાઈ લીધાને બે વર્ષ પૂર્ણ થાય છે.

સંગઠનના પ્રેરણા સ્તોત્રને સાચી શ્રધ્ધાંજલિ આપવા ગુજરાતમાં ૩૩ જિલ્લા અને ૨૫૨ તાલુકાની કારોબારી સાથે પત્રકારોનું સંગઠન પૂર્ણ થયું છે પરંતુ સંગઠનના પ્રેરણા સ્તોત્ર સલીમભાઈ એ આપણી વચ્ચેથી વિદાઈ લીધી.

તેના માનમાં સમગ્ર ગુજરાતમાં દરેક તાલુકા મથકે પત્રકાર એકતા પરિષદ દ્વારા વૃક્ષારોપણ કરી એમના આત્માને શાંતિ મળે અને સાચી શ્રધ્ધાંજલિ આપવાના પ્રયાસ રૂપિ વૃક્ષારોપણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.

કાર્યક્રમમાં ઉપસ્થિત વલભીપુર મામલતદાર,વલભીપુર પોલીસ સ્ટાફ,વલભીપુર નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ,સહિત રાજકીય અને સામાજિક ક્ષેત્રેના હોદેદારો અને કાર્યકરો સાથે ઉમરાળા ગામ સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ, વલભીપુર હરિઓમ પ્રાથમિક સ્કૂલના શિક્ષિકા લીલાબેન ઠાકરડા સહિતના જોડાયા.

વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવવા વલભીપુર અને ઉમરાળા તાલુકા પત્રકાર એકતા પરિષદના ધર્મેન્દ્રસિંહ સોલંકી, નિલેષ ઢીલા,જબારભાઈ કુરેશી, ભાર્ગવભાઈ મહેતા,નિખિલભાઈ દવે,ઈરફાનભાઈ સૈયદ,હેમંત ડાભી સહિતના પત્રકારોએ ભારે જેહમત ઉઠાવી હતી

રીપોર્ટ  ધર્મેન્દ્ર સિંહ સોલંકી સાથે નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *